Surendranagar

સુરેન્દ્રનગર એસટી ડેપો હોળી-ધૂળેટી પર્વે એક પણ એક્સ્ટ્રા બસનું સંચાલન નહીં કરે

હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા રાજ્યભરમાં મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, સુરેન્દ્રનગર એસટી વિભાગે આ વર્ષે પ્રવાસીઓને મોટો ઝટકો આપ્યો છે. સુરેન્દ્રનગર ડેપો દ્વારા હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે એક પણ એક્સ્ટ્રા બસનું સંચાલન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરતી સંખ્યામાં મુસાફરો ન થતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. દર વર્ષે રાજકોટ ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગરથી વધારાની બસો મંગાવવામાં આવતી હતી, પરંતુ ચાલુ વર્ષે આવી કોઈ માંગણી ન આવતા ફાળવણી કરવામાં આવી નથી. આ નિર્ણયની સીધી અસર સુરેન્દ્રનગર જિલ્લામાં ખેત મજૂરી કરતા શ્રમિકો પર પડશે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને ગોધરા તરફ વતન જતાં મજૂરો માટે એસટી બસ આશીર્વાદરૂપ હોય છે, પરંતુ હવે એક્સ્ટ્રા બસોના અભાવે તેઓએ ખાનગી વાહનોમાં વધુ ભાડું ખર્ચીને અને હાલાકી વેઠીને મુસાફરી કરવી પડશે. સામાન્ય રીતે તહેવારોના સમયે એસટી વિભાગને મોટી આવક થતી હોય છે, પરંતુ સુરેન્દ્રનગર ડેપોના આ નકારાત્મક અભિગમ સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના આ નિર્ણયથી શ્રમિક પરિવારોની મુશ્કેલીઓ વધશે તે નક્કી છે.

user 2

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

1 day ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

2 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

2 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

2 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

2 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

5 days ago