હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા રાજ્યભરમાં મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, સુરેન્દ્રનગર એસટી વિભાગે આ વર્ષે પ્રવાસીઓને મોટો ઝટકો આપ્યો છે. સુરેન્દ્રનગર ડેપો દ્વારા હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે એક પણ એક્સ્ટ્રા બસનું સંચાલન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરતી સંખ્યામાં મુસાફરો ન થતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. દર વર્ષે રાજકોટ ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગરથી વધારાની બસો મંગાવવામાં આવતી હતી, પરંતુ ચાલુ વર્ષે આવી કોઈ માંગણી ન આવતા ફાળવણી કરવામાં આવી નથી. આ નિર્ણયની સીધી અસર સુરેન્દ્રનગર જિલ્લામાં ખેત મજૂરી કરતા શ્રમિકો પર પડશે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને ગોધરા તરફ વતન જતાં મજૂરો માટે એસટી બસ આશીર્વાદરૂપ હોય છે, પરંતુ હવે એક્સ્ટ્રા બસોના અભાવે તેઓએ ખાનગી વાહનોમાં વધુ ભાડું ખર્ચીને અને હાલાકી વેઠીને મુસાફરી કરવી પડશે. સામાન્ય રીતે તહેવારોના સમયે એસટી વિભાગને મોટી આવક થતી હોય છે, પરંતુ સુરેન્દ્રનગર ડેપોના આ નકારાત્મક અભિગમ સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના આ નિર્ણયથી શ્રમિક પરિવારોની મુશ્કેલીઓ વધશે તે નક્કી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…