સુરેન્દ્રનગર (Surendranagar) મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકીદારો સામે કડક વસૂલાત ઝુંબેશ (Recovery Drive) શરૂ કરવામાં આવી છે. લાખો રૂપિયાનો મિલકત વેરો ભરપાઈ ન કરનારા એકમો સામે તંત્રએ લાલ આંખ કરી સીલિંગની કાર્યવાહી (Sealing Action) હાથ ધરી હતી. આ કાર્યવાહીથી વેરો બાકી રાખનારા મિલકતધારકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
મનપાના વેરા વિભાગે (Tax Department) મોટી રકમ બાકી રાખનાર સિગ્નેચર રેસ્ટોરન્ટ (Signature Restaurant), જેનો 4.34 લાખ (4.34 Lakh) રૂપિયાનો વેરો બાકી હતો, તેને સીલ કરી દીધી છે. આ ઉપરાંત સર્વોદય સોસાયટીની મિલકત, જેનો 2.21 લાખ રૂપિયાનો વેરો બાકી હતો, તેને પણ સીલ કરવામાં આવી છે. પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અન્ય મોટા બાકીદારો સફાળા જાગ્યા હતા અને જપ્તીની કાર્યવાહીથી બચવા માટે સ્થળ પર જ વેરો ભરવાની તૈયારી બતાવી હતી.
વેરા વિભાગની ટીમે વિવિધ એકમો પાસેથી સ્થળ પર જ મોટી રકમની વસૂલાત કરી હતી. જેમાં નટ આયાન ઇન્ડસ્ટ્રીઝના 2,43,219 (2.43 Lakh) રૂપિયા, ડો. પરિમલ દોશી ગેસ્ટ હાઉસના 3,45,187 રૂપિયા, ભગીનીબેન ગુણવંતરાયના 1,06,376 રૂપિયા અને ખંભલા નિલેશભાઈ મોહનલાલના 64,256 રૂપિયા મળી અંદાજે 7.50 લાખ (7.50 Lakh) થી વધુની રકમની વસૂલાત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ વેરો બાકી રાખનાર મિલકતો સામે સીલિંગની કામગીરી ચાલુ રહેશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…