Surendranagar

સુરેન્દ્રનગર મનપાનો સપાટો: બાકી વેરા મામલે મિલકતો સીલ કરાતા મિલકતધારકોમાં ફફડાટ

સુરેન્દ્રનગર (Surendranagar) મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકીદારો સામે કડક વસૂલાત ઝુંબેશ (Recovery Drive) શરૂ કરવામાં આવી છે. લાખો રૂપિયાનો મિલકત વેરો ભરપાઈ ન કરનારા એકમો સામે તંત્રએ લાલ આંખ કરી સીલિંગની કાર્યવાહી (Sealing Action) હાથ ધરી હતી. આ કાર્યવાહીથી વેરો બાકી રાખનારા મિલકતધારકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

મનપાના વેરા વિભાગે (Tax Department) મોટી રકમ બાકી રાખનાર સિગ્નેચર રેસ્ટોરન્ટ (Signature Restaurant), જેનો 4.34 લાખ (4.34 Lakh) રૂપિયાનો વેરો બાકી હતો, તેને સીલ કરી દીધી છે. આ ઉપરાંત સર્વોદય સોસાયટીની મિલકત, જેનો 2.21 લાખ રૂપિયાનો વેરો બાકી હતો, તેને પણ સીલ કરવામાં આવી છે. પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અન્ય મોટા બાકીદારો સફાળા જાગ્યા હતા અને જપ્તીની કાર્યવાહીથી બચવા માટે સ્થળ પર જ વેરો ભરવાની તૈયારી બતાવી હતી.

વેરા વિભાગની ટીમે વિવિધ એકમો પાસેથી સ્થળ પર જ મોટી રકમની વસૂલાત કરી હતી. જેમાં નટ આયાન ઇન્ડસ્ટ્રીઝના 2,43,219 (2.43 Lakh) રૂપિયા, ડો. પરિમલ દોશી ગેસ્ટ હાઉસના 3,45,187 રૂપિયા, ભગીનીબેન ગુણવંતરાયના 1,06,376 રૂપિયા અને ખંભલા નિલેશભાઈ મોહનલાલના 64,256 રૂપિયા મળી અંદાજે 7.50 લાખ (7.50 Lakh) થી વધુની રકમની વસૂલાત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ વેરો બાકી રાખનાર મિલકતો સામે સીલિંગની કામગીરી ચાલુ રહેશે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago