Surendranagar

સુરેન્દ્રનગર એસટી ડેપો હોળી-ધૂળેટી પર્વે એક પણ એક્સ્ટ્રા બસનું સંચાલન નહીં કરે

હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા રાજ્યભરમાં મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, સુરેન્દ્રનગર એસટી વિભાગે આ વર્ષે પ્રવાસીઓને મોટો ઝટકો આપ્યો છે. સુરેન્દ્રનગર ડેપો દ્વારા હોળી-ધૂળેટીના તહેવાર નિમિત્તે એક પણ એક્સ્ટ્રા બસનું સંચાલન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એસટી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પૂરતી સંખ્યામાં મુસાફરો ન થતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. દર વર્ષે રાજકોટ ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગરથી વધારાની બસો મંગાવવામાં આવતી હતી, પરંતુ ચાલુ વર્ષે આવી કોઈ માંગણી ન આવતા ફાળવણી કરવામાં આવી નથી. આ નિર્ણયની સીધી અસર સુરેન્દ્રનગર જિલ્લામાં ખેત મજૂરી કરતા શ્રમિકો પર પડશે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને ગોધરા તરફ વતન જતાં મજૂરો માટે એસટી બસ આશીર્વાદરૂપ હોય છે, પરંતુ હવે એક્સ્ટ્રા બસોના અભાવે તેઓએ ખાનગી વાહનોમાં વધુ ભાડું ખર્ચીને અને હાલાકી વેઠીને મુસાફરી કરવી પડશે. સામાન્ય રીતે તહેવારોના સમયે એસટી વિભાગને મોટી આવક થતી હોય છે, પરંતુ સુરેન્દ્રનગર ડેપોના આ નકારાત્મક અભિગમ સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રના આ નિર્ણયથી શ્રમિક પરિવારોની મુશ્કેલીઓ વધશે તે નક્કી છે.

user 2

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago