Categories: Surendranagar

સુરેન્દ્રનગર RTO કચેરી રામ ભરોસે, ફાયર સેફ્ટીના સાધનોની એક્સપાયરી ડેટ પૂર્ણ

સુરેન્દ્રનગરની આરટીઓ (RTO) કચેરીના બિલ્ડિંગમાં ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારી ખાનગી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરની સરકારી કચેરીઓમાં જ અગ્નિશામક સાધનોની સમય મર્યાદા (Expiry Date) પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી વિવિધ બિલ્ડિંગોમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો વર્ષ 2025માં જ એક્સપાયર થઈ ગયા છે, છતાં તેને હજુ સુધી અપડેટ કે રિફિલ કરવામાં આવ્યા નથી.

આરટીઓ કચેરીના આ જ બિલ્ડિંગમાં નશાબંધી શાખા, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ચેરિટી ટ્રસ્ટ વિભાગ, મંડળી રજીસ્ટ્રેશન, લગ્ન નોંધણી, નર્મદા વિભાગ અને ખેતીવાડી વિભાગ જેવી મહત્વની કચેરીઓ કાર્યરત છે. દરરોજ સેંકડો અરજદારો આ કચેરીઓની મુલાકાત લેતા હોય છે. આવા સંજોગોમાં જો અચાનક આગ લાગવાની ઘટના બને, તો એક્સપાયર થયેલા સાધનો કામ આપશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ સ્થિતિ ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી સાબિત થઈ શકે તેમ છે.

સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારી કચેરીઓ જ જો નિયમોનું પાલન ન કરતી હોય તો સામાન્ય જનતા પાસે અપેક્ષા કેવી રીતે રાખી શકાય? હાલમાં આ બિલ્ડિંગમાં કાર્યરત વિવિધ વિભાગોના દસ્તાવેજો અને કર્મચારીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સાધનોને રિન્યુ કરવામાં આવે અથવા નવા સાધનો વસાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાતી અટકાવી શકાય.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago