સુરેન્દ્રનગરની આરટીઓ (RTO) કચેરીના બિલ્ડિંગમાં ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારી ખાનગી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરની સરકારી કચેરીઓમાં જ અગ્નિશામક સાધનોની સમય મર્યાદા (Expiry Date) પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી વિવિધ બિલ્ડિંગોમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો વર્ષ 2025માં જ એક્સપાયર થઈ ગયા છે, છતાં તેને હજુ સુધી અપડેટ કે રિફિલ કરવામાં આવ્યા નથી.
આરટીઓ કચેરીના આ જ બિલ્ડિંગમાં નશાબંધી શાખા, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ચેરિટી ટ્રસ્ટ વિભાગ, મંડળી રજીસ્ટ્રેશન, લગ્ન નોંધણી, નર્મદા વિભાગ અને ખેતીવાડી વિભાગ જેવી મહત્વની કચેરીઓ કાર્યરત છે. દરરોજ સેંકડો અરજદારો આ કચેરીઓની મુલાકાત લેતા હોય છે. આવા સંજોગોમાં જો અચાનક આગ લાગવાની ઘટના બને, તો એક્સપાયર થયેલા સાધનો કામ આપશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ સ્થિતિ ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી સાબિત થઈ શકે તેમ છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારી કચેરીઓ જ જો નિયમોનું પાલન ન કરતી હોય તો સામાન્ય જનતા પાસે અપેક્ષા કેવી રીતે રાખી શકાય? હાલમાં આ બિલ્ડિંગમાં કાર્યરત વિવિધ વિભાગોના દસ્તાવેજો અને કર્મચારીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સાધનોને રિન્યુ કરવામાં આવે અથવા નવા સાધનો વસાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાતી અટકાવી શકાય.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…