સુરેન્દ્રનગરની આરટીઓ (RTO) કચેરીના બિલ્ડિંગમાં ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ તંત્ર દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનારી ખાનગી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરની સરકારી કચેરીઓમાં જ અગ્નિશામક સાધનોની સમય મર્યાદા (Expiry Date) પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી વિવિધ બિલ્ડિંગોમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો વર્ષ 2025માં જ એક્સપાયર થઈ ગયા છે, છતાં તેને હજુ સુધી અપડેટ કે રિફિલ કરવામાં આવ્યા નથી.
આરટીઓ કચેરીના આ જ બિલ્ડિંગમાં નશાબંધી શાખા, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ચેરિટી ટ્રસ્ટ વિભાગ, મંડળી રજીસ્ટ્રેશન, લગ્ન નોંધણી, નર્મદા વિભાગ અને ખેતીવાડી વિભાગ જેવી મહત્વની કચેરીઓ કાર્યરત છે. દરરોજ સેંકડો અરજદારો આ કચેરીઓની મુલાકાત લેતા હોય છે. આવા સંજોગોમાં જો અચાનક આગ લાગવાની ઘટના બને, તો એક્સપાયર થયેલા સાધનો કામ આપશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. આ સ્થિતિ ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવી સાબિત થઈ શકે તેમ છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારી કચેરીઓ જ જો નિયમોનું પાલન ન કરતી હોય તો સામાન્ય જનતા પાસે અપેક્ષા કેવી રીતે રાખી શકાય? હાલમાં આ બિલ્ડિંગમાં કાર્યરત વિવિધ વિભાગોના દસ્તાવેજો અને કર્મચારીઓની સુરક્ષા રામ ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સાધનોને રિન્યુ કરવામાં આવે અથવા નવા સાધનો વસાવવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાતી અટકાવી શકાય.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…