Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

Surendranagar Police Transfer  | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને 22 પોલીસ કર્મચારીઓની (police personnel) ફરી એકવાર બદલી (transfer) કરવામાં આવી છે. તાજેતરમાં જિલ્લા પોલીસ વડા દ્વારા એકસાથે 443 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા અને તમામને નવા સ્થળે હાજર થવા જણાવ્યું હતું.

આ તમામ કર્મચારીઓને 10 જેટલા પોલીસ સ્ટેશનમાંથી (police station) છૂટા કરીને મૂળ નિયુક્તિ વાળા સ્થળે હાજર કરી દેવાયા હતા. પરંતુ, આ નિર્ણય બાદ જિલ્લા પોલીસ વડાએ પરિસ્થિતિની સમીક્ષા કરીને વધુ એક નવો હુકમ બહાર પાડ્યો છે.

આ નવા આદેશ હેઠળ કુલ 22 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં 12 જેટલા કર્મચારીઓને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Local Crime Branch – LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Special Operations Group – SOG), સાયબર ક્રાઈમ (Cyber Crime) અને DYSP કચેરી જેવી મહત્વની બ્રાન્ચોમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 10 જેટલા કર્મચારીઓને અગાઉ જ્યાં બદલી મળી હતી ત્યાં હાજર થવાના સ્થાને અન્ય પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.

મુખ્ય બદલીઓમાં એમટી ડ્રાઈવર (MT Driver) દિલીપભાઈ ચાવડાને SOGમાં ડ્રાઈવર તરીકે મુકાયા છે, જ્યારે અશ્વિન વાઘેલાને SOGમાંથી LCBમાં બદલી કરાઈ છે. વિજયસિંહ બોરાણાને LCBમાંથી જોરાવરનગર પોલીસ સ્ટેશન અને માવજી રાઠોડને પોલીસ હેડક્વાર્ટર (Police Headquarter) થી એ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.

હિતેશ સોલંકીને એસી એસટી (SC/ST) સેલમાંથી SOGમાં, અસલમખાન મલિકને સાયબર પોલીસમાંથી SOG ઓફિસમાં અને હરદેવસિંહ પરમારને ઝીંઝુવાડાથી SOGમાં બદલી આપવામાં આવી છે.

આ ઉપરાંત હિતેશ ડાભીને પાણશીણાથી હેડક્વાર્ટર, ભરતસિંહ પરમારને લીંબડીથી પાણશીણા, ભગીરથસિંહ વાઘેલાને બજાણાથી પાટડી DYSP કચેરી અને અરવિંદભાઈને જોરાવરનગરથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુકાયા છે. જિલ્લા SP દ્વારા આ તમામ ફેરબદલ સ્વ-વિનંતી અને જાહેર હિત (public interest) ના કારણોસર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago