Dhrangadhra

Dhrangadhra : રાવળીયાવદર ગામમાં તળાવમાં નહાવા પડેલા 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

Dhrangadhra News | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના રાવળીયાવદર (Ravaliyavadar) ગામે 7 વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ, રાવળીયાવદર ગામનો 7 વર્ષીય વિરમ રૂદાતલા (Viram Rudatala) સાંજના સમયે ખેતર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં આવતા તળાવમાં તે અચાનક નહાવા માટે પડ્યો હતો.

ઊંડા પાણીમાં ઉતરી જતાં બાળક ડૂબવા લાગ્યો હતો અને તેનું પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. સ્થાનિક લોકોના ધ્યાને આ બાબત આવતા તેમણે તાત્કાલિક બાળકને તળાવના પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

ઘટના બાદ બાળકને સારવાર અર્થે તુરંત સુરેન્દ્રનગર મેડિકલ કોલેજ (Medical College) ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસ (Police) ને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) અર્થે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે મોકલી આપવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માતે મોત (AD) નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago