Surendranagar

પેપર લીક કૌભાંડ મુદ્દે હવે કોંગ્રેસ મેદાને: સુરેન્દ્રનગરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા આજથી ‘છાત્ર કી ગુંજ’ કાર્યક્રમ

Congress Paper Leak Protest | સમગ્ર દેશમાં સતત સામે આવી રહેલા પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના મુદ્દે હવે કોંગ્રેસ પક્ષ આક્રમક મૂડમાં આવી ગયો છે. તાજેતરમાં જ NEET (નીટ) પરીક્ષામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ પરીક્ષા રદ થતાં દેશના 22 લાખથી વધુ અને ગુજરાતના 80,000થી વધુ વિદ્યાર્થીઓ માનસિક રીતે ભાંગી પડ્યા છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, વારંવાર પેપર લીક થવાની ઘટનાઓ અને તેના કારણે વધતા માનસિક તણાવને લીધે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં 89 જેટલા પેપર લીક થયા છે અને 48 જેટલી મહત્વની પરીક્ષાઓ રદ કરવાની ફરજ પડી છે.

ગુજરાતમાં પણ બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ફોરેસ્ટ ગાર્ડ જેવી અનેક ભરતી પરીક્ષાઓના પેપર લીક થતા યુવાનોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

આ શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી ખુલ્લી લૂંટ અને ગેરરીતિઓ સામે લડત આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી ‘છાત્ર કી ગુંજ’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી (Naushad Solanki) અને AICC સેક્રેટરી ઋત્વિક મકવાણા (Rutvik Makwana) સહિતના આગેવાનો શાળા-કોલેજોમાં જઈને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સીધો સંવાદ કરશે. કોંગ્રેસ આ મુદ્દે જનજાગૃતિ લાવીને સરકાર સામે એકજૂથ થઈ મોટી લડત આપવાની તૈયારી કરી રહી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago