સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે હવે ‘બે સિંઘમ’ અધિકારીઓની જોડી કાર્યરત થઈ છે. જિલ્લામાં પહેલેથી જ પોતાની કડક છાપ ધરાવતા એસપી પ્રેમસુખ ડેલુ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે હવે રેન્જ આઈજી તરીકે નિડર અધિકારી નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નિર્લિપ્ત રાય રાજ્યભરમાં લુખ્ખા તત્વો અને ભૂમાફિયાઓ સામે લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા છે. બીજી તરફ, એસપી પ્રેમસુખ ડેલુએ પણ અગાઉ અનેક અસામાજિક તત્વો પર સપાટો બોલાવી ગુનાખોરી પર લગામ લગાવી છે. આ બે દિગ્ગજ પોલીસ અધિકારીઓના આગમનથી સુરેન્દ્રનગરની જનતામાં સલામતીનો અહેસાસ જાગ્યો છે. સ્થાનિકો માની રહ્યા છે કે હવે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વોએ વિદાય લેવી પડશે અને શાંતિનો નવો યુગ શરૂ થશે.ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ બેડામાં મોટો ફેરફાર કરતા 37 જેટલા IPS અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણૂક કરવામાં આવી છે. આ બદલીઓમાં અનેક જગ્યાએ પદોને અપગ્રેડ કે ડાઉનગ્રેડ કરીને વહીવટી સુગમતા લાવવાનો પ્રયાસ કરાયો છે. આ આદેશમાં સૌથી વધુ ચર્ચાસ્પદ નામ નિર્લિપ્ત રાયનું છે, જેમને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માંથી વિદાય આપીને રાજકોટ રેન્જના આઈજી (IG) તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…