ગુજરાત સરકાર દ્વારા 856 કરોડ રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગરના દૂધરેજથી બહુચરાજી સુધીનો ફોરલેન હાઇવે બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, હાઇવે પર નડતરરૂપ વીજપોલ હટાવવાની ધીમી કામગીરીને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થતાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટર એજન્સીએ રજૂઆત કરી હતી કે, 2 વર્ષ પહેલાં 6 કરોડ રૂપિયાનો ચાર્જ ભર્યો હોવા છતાં વીજ વિભાગે હજુ સુધી કામ પૂરું કર્યું નથી. હાઇવે પર કુલ 759 વીજપોલમાંથી 448 હટાવી લેવાયા છે.પરંતુ 200થી વધુ થાંભલાઓ હજુ પણ બાકી છે.જેના લીધે કામગીરી અટકી પડી છે.
આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરે પીજીવીસીએલ (PGVCL) વિભાગને આગામી 1 મહિનાની અંદર તમામ બાકી રહેલા વીજપોલ તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે કડક આદેશ આપ્યો છે.જેથી હાઇવેનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…