ગુજરાત સરકાર દ્વારા 856 કરોડ રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગરના દૂધરેજથી બહુચરાજી સુધીનો ફોરલેન હાઇવે બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, હાઇવે પર નડતરરૂપ વીજપોલ હટાવવાની ધીમી કામગીરીને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થતાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટર એજન્સીએ રજૂઆત કરી હતી કે, 2 વર્ષ પહેલાં 6 કરોડ રૂપિયાનો ચાર્જ ભર્યો હોવા છતાં વીજ વિભાગે હજુ સુધી કામ પૂરું કર્યું નથી. હાઇવે પર કુલ 759 વીજપોલમાંથી 448 હટાવી લેવાયા છે.પરંતુ 200થી વધુ થાંભલાઓ હજુ પણ બાકી છે.જેના લીધે કામગીરી અટકી પડી છે.
આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરે પીજીવીસીએલ (PGVCL) વિભાગને આગામી 1 મહિનાની અંદર તમામ બાકી રહેલા વીજપોલ તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે કડક આદેશ આપ્યો છે.જેથી હાઇવેનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…