ગુજરાત સરકાર દ્વારા 856 કરોડ રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગરના દૂધરેજથી બહુચરાજી સુધીનો ફોરલેન હાઇવે બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, હાઇવે પર નડતરરૂપ વીજપોલ હટાવવાની ધીમી કામગીરીને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થતાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટર એજન્સીએ રજૂઆત કરી હતી કે, 2 વર્ષ પહેલાં 6 કરોડ રૂપિયાનો ચાર્જ ભર્યો હોવા છતાં વીજ વિભાગે હજુ સુધી કામ પૂરું કર્યું નથી. હાઇવે પર કુલ 759 વીજપોલમાંથી 448 હટાવી લેવાયા છે.પરંતુ 200થી વધુ થાંભલાઓ હજુ પણ બાકી છે.જેના લીધે કામગીરી અટકી પડી છે.
આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરે પીજીવીસીએલ (PGVCL) વિભાગને આગામી 1 મહિનાની અંદર તમામ બાકી રહેલા વીજપોલ તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે કડક આદેશ આપ્યો છે.જેથી હાઇવેનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…