ધ્રાંગધ્રા તાલુકાના સંજનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત (Progressive Farmer) અશ્વિનભાઈ ધરમશીભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી (Horticulture) અપનાવીને ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે. વર્ષોથી એરંડા અને કપાસ જેવા પાકો પર નિર્ભર રહેતા અશ્વિનભાઈએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માત્ર 70 દિવસમાં ટેટીના પાકમાંથી 40 લાખ રૂપિયાની માતબર કમાણી કરી છે.
અશ્વિનભાઈએ પોતાના 13 એકર ખેતરમાં મલચિંગ (Mulching) અને ગ્રો-કવર (Grow Cover) પદ્ધતિથી ટેટીનું વાવેતર કર્યું હતું. જિલ્લા બાગાયત અધિકારીઓના માર્ગદર્શન અને સરકારી સબસીડી (Government Subsidy) નો લાભ મેળવી તેમણે આધુનિક પદ્ધતિ અપનાવી છે. તેમના જણાવ્યા મુજબ, આ પદ્ધતિથી ઓછો ખર્ચ અને ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન મળે છે. એક વીઘામાં અંદાજે 200 થી 250 મણ ટેટીનું ઉત્પાદન થાય છે, જે પરંપરાગત પાકો કરતા બમણી આવક આપે છે.
આ વર્ષે તેમણે વેપારીઓને સીધું વેચાણ કરીને મોટી સફળતા મેળવી છે. સરકારની લોન અને સહાય યોજનાઓએ તેમને આત્મનિર્ભર (Self-reliant) બનવામાં મજબૂત પીઠબળ પૂરું પાડ્યું છે. અશ્વિનભાઈની આ સફળતા આજે સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…