સુરેન્દ્રનગર (Surendranagar) શહેરની મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરના (Stray Cattle) વધતા જતા ત્રાસને ડામવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Municipal Corporation) આખરે એક્શનમાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રસ્તા પર પશુઓના કારણે અકસ્માતો (Accidents) વધી રહ્યા હતા અને અનેક રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
તંત્ર પાસે આધુનિક સાધનોનો (Modern Equipment) અભાવ હોવા છતાં, ઉપલબ્ધ મર્યાદિત અને જૂના સાધનોની મદદથી પશુઓને પકડવાની ઝુંબેશ (Drive) શરૂ કરવામાં આવી છે. પાલિકાની ટીમ દ્વારા રસ્તા પર અડિંગો જમાવીને બેસતા પશુઓને પકડીને મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાઓમાં (Cattle Sheds) ખસેડવામાં આવી રહ્યા છે.
રખડતા ઢોરને કારણે ટ્રાફિક જામ (Traffic Jam) અને જીવલેણ અકસ્માતોનો ભય સતત રહેતો હતો. તંત્રની આ કામગીરીથી શહેરીજનોને હાલાકીમાંથી મુક્તિ મળશે તેવી આશા બંધાઈ છે. જોકે, આ ઝુંબેશ કાયમી ધોરણે ચાલુ રહે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…