Surendranagar | ઝાલાવાડ પંથકમાં હાલમાં અનુભવાતી બેવડી ઋતુને (Double Season) કારણે આરોગ્યની સ્થિતિ કથળી રહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે આકરી ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્શન (Viral Infection) ઝડપથી ફેલાઈ રહ્યું છે. શરદી, ઉધરસ અને તાવના કેસોમાં સતત વધારો થતા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં (Hospitals) દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં દૈનિક ઓપીડી (OPD) નો આંકડો 500ને પાર કરી ગયો છે. શરદી-તાવની સાથે ઝાડા-ઉલટીના (Diarrhea and Vomiting) કેસો પણ સામે આવી રહ્યા છે. લગ્નગાળાની સિઝન હોવાથી બહારનો ખોરાક ખાવાને કારણે પણ લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું હોવાનું તબીબોનું માનવું છે.તબીબોની સલાહ હવામાનમાં આવતા અચાનક બદલાવને કારણે વાયરસ સક્રિય થયા છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ (Doctors) જણાવ્યું છે કે હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ લોકોએ ખોરાક અને પાણી બાબતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ઠંડા પીણાં અને વાસી ખોરાક ટાળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ (Appeal) કરવામાં આવી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…