Surendranagar | ઝાલાવાડ પંથકમાં હાલમાં અનુભવાતી બેવડી ઋતુને (Double Season) કારણે આરોગ્યની સ્થિતિ કથળી રહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે આકરી ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્શન (Viral Infection) ઝડપથી ફેલાઈ રહ્યું છે. શરદી, ઉધરસ અને તાવના કેસોમાં સતત વધારો થતા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં (Hospitals) દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં દૈનિક ઓપીડી (OPD) નો આંકડો 500ને પાર કરી ગયો છે. શરદી-તાવની સાથે ઝાડા-ઉલટીના (Diarrhea and Vomiting) કેસો પણ સામે આવી રહ્યા છે. લગ્નગાળાની સિઝન હોવાથી બહારનો ખોરાક ખાવાને કારણે પણ લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું હોવાનું તબીબોનું માનવું છે.તબીબોની સલાહ હવામાનમાં આવતા અચાનક બદલાવને કારણે વાયરસ સક્રિય થયા છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ (Doctors) જણાવ્યું છે કે હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ લોકોએ ખોરાક અને પાણી બાબતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ઠંડા પીણાં અને વાસી ખોરાક ટાળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ (Appeal) કરવામાં આવી છે.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…