Maha Shivratri | સુરેન્દ્રનગર જિલ્લામાં મહાશિવરાત્રી પર્વને લઈને કંદમૂળ શક્કરીયા અને બટાકાનું વેચાણ કરતા વેપારીઓ સવારથી બજારમાં વેચાણ કરવા બેસી ગયા હતા.ગત વર્ષ કરતા હાલમાં બજારમાં શક્કરીયાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૫૦ થી ૭૦ તેમજ બટાકાનો એક કિલો દીઠ ભાવ રૂ. ૪૦ થી ૫૦ રૂપિયા બોલાયો હતો.
શિવરાત્રી પર્વના દિવસે કંદમૂળ ખાવાની જૂની પરંપરા રહેલી છે ઉલ્લેખનીય છે કે શિવરાત્રીના દિવસે લોકો આ કંદમૂળ ખાઈ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ રાખતા હોય છે અને શ્રદ્ધાથી ભક્તિ કરે છે.
ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત લખતર શહેરની મુખ્ય બજાર તેમજ શાકમાર્કેટમાં વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં શક્કરીયા અને બટેકાની સ્થાનિકો અને ગ્રામ્ય વિસ્તારના લોકો ખરીદી કરતા બજારોમાં નજરે પડયા હતા. આ ઉપરાંત ધ્રાંગધ્રા, ચોટીલા, પાટડી, લીંબડી, ચોટીલા, થાન સહિતના તાલુકાઓમાં પણ મહાશિવરાત્રીના પર્વને લઈને શક્કરીયા અને બટેકાની ખરીદીમાં ભીડ જોવા મળી હતી.
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…