BJP No Repeat Theory | સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ થિયરીની અટકળોએ જોગીઓની ઊંઘ હરામ કરી છે. જોકે, નવા ચહેરાઓને તક મળે તો ભીતરઘાત રોકવા ભાજપ માટે ડેમેજ કંટ્રોલ મોટો પડકાર બનશે
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા ‘નો રિપીટ’ થિયરી અપનાવવાની શક્યતાઓએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. એપ્રિલ-મે મહિનામાં યોજાનારી આ ચૂંટણીમાં પક્ષ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે તેવી અટકળો તેજ થતાં, બે-ત્રણ ટર્મથી ચૂંટાતા પીઢ નેતાઓમાં ફાળ પડી છે. પોતાની ટિકિટ કપાઈ જવાની બીકે અનેક મૂરતિયાઓ અત્યારથી જ પોતપોતાના રાજકીય આકાઓ અને ગોડફાધરોના શરણે પહોંચી લોબિંગ શરૂ કરી દીધુ છે.
જો પક્ષ તમામ વોર્ડમાં માત્ર નવા જ ઉમેદવારોને ઉતારશે, તો વર્ષોથી સક્રિય અને મજબૂત જનસંપર્ક ધરાવતા જૂના નેતાઓની નારાજગી પક્ષને ભારે પડી શકે છે. અનુભવી નેતાઓની અવગણના કરવાથી ચૂંટણીમાં ભીતરઘાતનો ખતરો વધી શકે છે, જેની સીધી અસર પરિણામો પર પડવાની સંભાવના છે. હવે ભાજપ હાઇકમાન્ડ નવા-જુના કાર્યકરો વચ્ચે સમન્વય સાધવા માટે કેવી રણનીતિ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…