Surendranagar

સુરેન્દ્રનગરના કટુડા ગામે વીજબિલ ઉઘરાવા ગયેલ ટિમ પર હુમલો..

સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજબીલ ન ભરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વીજબિલ ન ભરનાર વીજ કનેક્શન ધારકોના ઘરે જઈ અને ઉઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના કટુડા ગામે દશરથસિંહ જામભા ઝાલા ના રહેણાંક મકાને પીજીવીસીએલ વિભાગની ટીમ બાકી બિલ ની રકમ વસૂલવા માટે ગઈ હતી.

જેમાં 17,099 રૂપિયા નો વીજબીલ વસુલાત કરવાનું હતું ત્યારે આ મુદ્દે પીજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર તેમજ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ નિકુલ ઈશ્વરભાઈ પટેલ અને લાઈનમેન યુનુસભાઇ કાસમભાઈ મકવાણા સહિતના કર્મચારીઓ વીજબિલની વસૂલાત માટે કટુડા ગામે દશરથસિંહ ઝાલા ના ઘરે પહોંચ્યા હતા.

ત્યારે આ મુદ્દે મામલો ઘરમાં જવા પામ્યો હતો અને દશરથસિંહ ઝાલા ના રહેણાંક મકાને બિલના બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા તે દરમિયાન પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓના હાથમાં રહેલી સ્લીપ બુક છીનવી લેવામાં આવી હતી અને ફરજમાં રૂકાવટ કરી અને અપશબ્દ કહેવામાં આવ્યા હતા. આ બિલના રૂપિયા નહીં આપવાના અને આ ઘરે જ આવો છો તેમ કહીને પીજીવીસીએલ વિભાગની ટીમ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ અહીં આવશો તો હાથ પગ ભાંગી નાખવામાં આવશે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ત્યારે સરકારી મહેન્દ્રા બોલેરો કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.

ત્યારે આ અંગે પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરી અને હુમલો કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago