સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજબીલ ન ભરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વીજબિલ ન ભરનાર વીજ કનેક્શન ધારકોના ઘરે જઈ અને ઉઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના કટુડા ગામે દશરથસિંહ જામભા ઝાલા ના રહેણાંક મકાને પીજીવીસીએલ વિભાગની ટીમ બાકી બિલ ની રકમ વસૂલવા માટે ગઈ હતી.
જેમાં 17,099 રૂપિયા નો વીજબીલ વસુલાત કરવાનું હતું ત્યારે આ મુદ્દે પીજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતા જુનિયર એન્જિનિયર તેમજ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ નિકુલ ઈશ્વરભાઈ પટેલ અને લાઈનમેન યુનુસભાઇ કાસમભાઈ મકવાણા સહિતના કર્મચારીઓ વીજબિલની વસૂલાત માટે કટુડા ગામે દશરથસિંહ ઝાલા ના ઘરે પહોંચ્યા હતા.
ત્યારે આ મુદ્દે મામલો ઘરમાં જવા પામ્યો હતો અને દશરથસિંહ ઝાલા ના રહેણાંક મકાને બિલના બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા તે દરમિયાન પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓના હાથમાં રહેલી સ્લીપ બુક છીનવી લેવામાં આવી હતી અને ફરજમાં રૂકાવટ કરી અને અપશબ્દ કહેવામાં આવ્યા હતા. આ બિલના રૂપિયા નહીં આપવાના અને આ ઘરે જ આવો છો તેમ કહીને પીજીવીસીએલ વિભાગની ટીમ સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ અહીં આવશો તો હાથ પગ ભાંગી નાખવામાં આવશે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ત્યારે સરકારી મહેન્દ્રા બોલેરો કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા.
ત્યારે આ અંગે પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરી અને હુમલો કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…