Online Gaming | ડિજિટલ યુગમાં (Online Gaming) હવે સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે ચિંતા જનક મુદ્દો બની રહ્યો છે. (Facebook) અને (Instagram) જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી લોભામણી જાહેરાતોના કારણે અનેક યુવાનો ઓનલાઇન જુગાર અને ગેમિંગ એપ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે. શરૂઆતમાં મનોરંજન માટે રમાતી ગેમ હવે આર્થિક નુકસાનનું કારણ બની રહી છે.
ભોગ બનનાર યુવાનોના જણાવ્યા મુજબ, ગેમ રમવા માટે જ્યારે તેઓ રકમ જમા કરે છે એટલે કે (Recharge) કરે છે, ત્યારે બેંક અથવા (Cyber Cell) તરફથી કોઈ રોકટોક થતી નથી. પેમેન્ટ ગેટવે દ્વારા રકમ સરળતાથી કપાઈ જાય છે. પરંતુ મુશ્કેલી ત્યારે સર્જાય છે જ્યારે યુવાન ગેમમાં મોટી રકમ જીતે અને તે રકમ (Withdraw) કરવાનો પ્રયાસ કરે. તે સમયે અચાનક બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે.
ગેમ સંચાલકો દ્વારા રકમ જમા થયાનો મેસેજ મોકલવામાં આવે છે, પરંતુ સાયબર સેલ દ્વારા તે રકમ બ્લોક કરી દેવામાં આવે છે. પરિણામે અનેક ખાતાધારકોના લાખો રૂપિયા અટવાઈ ગયા છે. યુવાનો બેંકમાં પૂછપરછ કરવા જાય છે ત્યારે અધિકારીઓ “સાયબર સેલે એકાઉન્ટ બ્લોક કર્યું છે” કહી જવાબદારી ટાળી દે છે.
જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આવી ગેમ્સ ગેરકાયદેસર હોય તો તે એપ્લિકેશન્સને ચલાવવા કેમ દેવામાં આવે છે? રીચાર્જ સમયે એલર્ટ કેમ આપવામાં આવતું નથી? તેમજ બોગસ કંપનીઓના નામે ખાતા ખોલાવી નાણાં એકત્રિત કરનારા સંચાલકો સામે કાર્યવાહી કેમ થતી નથી?
આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ યુવાનોને રૂપિયાથી રમાતી ઓનલાઇન ગેમ્સ ડાઉનલોડ ન કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ગેરકાયદેસર ગેમિંગ એપ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે અને સાયબર ક્રાઈમની મદદથી ફ્રીઝ થયેલા જેન્યુન એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવશે. યુવાનોને સાવચેત રહી નાણાકીય નુકસાનથી બચવા સૂચના આપવામાં આવી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…