એસ કે કટારા ડેપ્યુટી કમિશનર રિટાયર્ડ થયા બાદ અર્જુન ચાવડાને ચાર્જ સોંપવામાં આવ્યો હતી.
દક્ષિણ ઝોન નો ડેપ્યુટી કમિશ્નર નો ચાર્જ એન્જિનિયર કલ્પેશ ચૌહાણ ને સોંપવામાં આવ્યો..
ફેર બદલી બાદ ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડા રજા ઉપર ઉતરી ગયા.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં અંદરો અંદરનો વિવાદ સતત વકરતો જઈ રહ્યો છે ત્યારે હવે વિવાદ સતત સામે આવી રહ્યો છે અર્જુન ચાવડા નાયબ મ્યુનિસિપાલટી કમિશનર તરીકે બંને ચાર્જ સોંપવામાં આવ્યા હતા ઉત્તર અને દક્ષિણ વિભાગના બંને ચાર્જ અર્જુન ચાવડાને સોંપવામાં આવ્યા હતા મહાનગરપાલિકા બની ત્યારે દક્ષિણ ઝોનનો ચાર્જ એસ કે કટારાને સોંપવામાં આવ્યો હતો પરંતુ વયમર્યાદાના કારણે તે રિટાયર્ડ થયા ત્યાર બાદ તેમની ખાલી પડેલી જગ્યાનો ચાર્જ અર્જુન ચાવડાને સોંપવામાં આવ્યો હતો.
ત્યારે હવે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા નિર્ણય કરી અને નાયબ મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ કલ્પેશ ચૌહાણ ને સોંપવામાં આવ્યો છે દક્ષિણ ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે મોડી સાંજે ફેરફાર કરી અને કલ્પેશ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે અને વિભાગોની સોંપણી પણ કરી દેવામાં આવી છે..
જેમાં ખાસ કરીને અર્જુન ચાવડાને વહીવટી વિભાગ સેક્રેટરી વિભાગ સંકલન હિસાબી વેરા આરોગ્ય ટાઉન પ્લાનિંગ ઓડિટ ફેરી મેલેરિયા અર્બન કોમ્યુનિટી અને જન સંપર્ક અને કાયદા વિભાગ સોંપવામાં આવ્યું છે જ્યારે ચાર્જમાં આપવામાં આવેલા નાયબ નસીબ પર કમિશનર કલ્પેશ ચૌહાણ ને સિવિલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રીક એન્જિનિયરિંગ ફાયર અને ઇમર્જન્સી સર્વિસ ગાર્ડન ડેવલપમેન્ટ સેનિટેશન રખડતા ઢોર અંકુશ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન વિભાગ ની સોંપણી કરવામાં આવી છે..
અંદરો અંદરની ખેંચતા ના કારણે આ પ્રકારનો નિર્ણય કર્યા હોવાની શંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે જોકે આ પ્રકારની ફેર બદલી કરવામાં આવતા નાયબ કમિશનર અર્જુન ચાવડા રજા ઉપર ઉતરી ગયા હોવાની વાત પણ વહેતી થઈ છે. ત્યારે મહાનગરપાલિકાની અંદરો અંદરની ખેંચતાણ વધતી જઈ રહી છે ત્યારે હવે નાયબ કમિશનર અર્જુન ચાવડા પાસેથી વધારાના નાયબ કમિશનરનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે અને એન્જિનિયર ને સોંપી દેવામાં આવ્યો છે..
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…