Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી ઉપર ફરી દરોડા..

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સુરેન્દ્રનગરના ખાખરાળી ગામની સરકારી જમીનમાં ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર દરોડા..

15 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપી પાડવામાં આવી..

10 લાખથી વધારે મુદ્દામાં જપ્ત કરી 79 મજૂરોને વતન તરફ પરત મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી..

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ચાલતી ખનીજ ચોરી ઉપર વ્યાપક દરોડા ની કામગીરી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢના ખાખરાળી ગામની સરકારી સર્વે નંબર 356 તથા ખાનગી માલિકીની સર્વે નંબર 358 357 અને 359 વાળી જમીન ઉપર આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા 15 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ઝડપી પાડવામાં આવી છે.

ચોટીલા પ્રાંત અધિકારી અને ચોટીલા મામલતદાર અને થાનગઢ મામલતદાર સહિતની ટીમો દરોડાની કામગીરીમાં જોડાઈ છે ત્યારે 120 મેટ્રિક ટન કોલસો 15 જેટલી ચરખીઓ 15 જેટલા બ્રેકેટ મળી કુલ 10,80,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે છ ખનીજ માફીઆવો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

ગેરકાયદેસર ખનીજનો ખોદકામ કરવામાં આવી રહ્યું હતું તે આધારે તપાસ કરવામાં આવી છે જેમાં જીવણભાઈ સામાભાઈ ભરવાડ જાગાભાઈ રાહાભાઈ ભરવાડ અમરશીભાઈ સવજીભાઈ ગોરધનભાઈ સવજીભાઈ સુનિલભાઈ મનુભાઈ ભરવાડ અને મનુ ભરવાડ સામે કાર્યવાહી ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં 79 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા.

તમામ મજૂરોને કાર્બોસિલની ખાણો માંથી બહાર કાઢી અને મધ્યપ્રદેશ દાહોદ અને તેમના વતન તરફ મોકલવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખનીજ ચોરી ઝડપાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગની કામગીરી શંકાના દાયરામાં રહેલી છે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા પોલીસ વિભાગને પણ ખનીજ ચોરી ઉપર દરોડા પાડવા માટે સૂચના આપવામાં આવી છે તે છતાં પણ પોલીસ કામગીરી નથી કરી રહી ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ દરોડાની કામગીરી ન કરવામાં આવતા અંતે પ્રાંત અધિકારીએ દરોડા પાડવા પડી રહ્યા છે અને ખનીજ ચોરી ઝડપવામાં આવી રહી છે

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago