Surendranagar

સુરેન્દ્રનગર મનપાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત, જાણો કોને મળી ટિકિટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે.

લાંબી પ્રતીક્ષા બાદ ભાજપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તમામ 52 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરીને ચૂંટણી જંગના શ્રીગણેશ કર્યા છે. આ યાદીમાં પક્ષે અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓ વચ્ચે સચોટ સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે, જેથી સત્તા જાળવી રાખવામાં સરળતા રહે.

સુરેન્દ્રનગર ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ ચૂંટણી પ્રક્રિયા તેજ બની છે. ભાજપે અહીં જિલ્લા પંચાયત, વિવિધ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે.

ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના મોવડી મંડળે આ વખતે જીતવાની ક્ષમતા અને સ્થાનિક જ્ઞાતિ-જાતિના સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખીને પસંદગી કરી છે. આગામી 2 થી 3 દિવસમાં બાકી રહેલી પાલિકાઓની યાદી પણ તબક્કાવાર જાહેર કરવામાં આવશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago