Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી: ઉમેદવારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ

સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પંચ દ્વારા આગામી 26 એપ્રિલના રોજ મતદાનની તારીખ જાહેર કરવામાં આવતા જ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપ દ્વારા ‘કમલમ’ ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના પૂર્વ મેયર મીનાબેન પટેલ અને મહેશભાઈ મોદી નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ દિવસે જ 250 થી વધુ ઈચ્છુક દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. ટૂંકા સમયગાળાને જોતા આગામી 1 સપ્તાહમાં જ ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટિકિટ મેળવવા માટે લોબિંગ પણ શરૂ થઈ ગયું છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago