સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ચૂંટણી પંચ દ્વારા આગામી 26 એપ્રિલના રોજ મતદાનની તારીખ જાહેર કરવામાં આવતા જ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપ દ્વારા ‘કમલમ’ ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના પૂર્વ મેયર મીનાબેન પટેલ અને મહેશભાઈ મોદી નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે જ 250 થી વધુ ઈચ્છુક દાવેદારોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી હતી. ટૂંકા સમયગાળાને જોતા આગામી 1 સપ્તાહમાં જ ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ટિકિટ મેળવવા માટે લોબિંગ પણ શરૂ થઈ ગયું છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…