સુરેન્દ્રનગર-વઢવાણ મુખ્ય રોડ પર આવેલા મિલન સિનેમા પાસે ભૂગર્ભ ડ્રેનેજની લાઈનો ઉભરાતા ગંદા પાણી વેપારીઓની દુકાનો સુધી પહોંચી ગયા છે. મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદા પાણી અને દુર્ગંધના કારણે ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જેનાથી વેપાર પર માઠી અસર થઈ રહી છે.
વેપારીઓએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સુવિધાઓ વધવાને બદલે હાલાકી વધી છે. સેનિટેશન વિભાગને કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે છતાં ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ ઠેરની ઠેર છે. જ્યારે પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓ એકબીજા પર દોષારોપણ કરી જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વેપારીઓના મતે મહાનગરપાલિકા કરતા નગરપાલિકાનો વહીવટ ઘણો સારો હતો. હાલમાં આ વિસ્તારની હોટલો અને શોરૂમ ધારકોએ તાત્કાલિક ડ્રેનેજની સફાઈ કરવા માંગ કરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…