સુરેન્દ્રનગર-વઢવાણ મુખ્ય રોડ પર આવેલા મિલન સિનેમા પાસે ભૂગર્ભ ડ્રેનેજની લાઈનો ઉભરાતા ગંદા પાણી વેપારીઓની દુકાનો સુધી પહોંચી ગયા છે. મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદા પાણી અને દુર્ગંધના કારણે ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જેનાથી વેપાર પર માઠી અસર થઈ રહી છે.
વેપારીઓએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સુવિધાઓ વધવાને બદલે હાલાકી વધી છે. સેનિટેશન વિભાગને કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે છતાં ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ ઠેરની ઠેર છે. જ્યારે પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓ એકબીજા પર દોષારોપણ કરી જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વેપારીઓના મતે મહાનગરપાલિકા કરતા નગરપાલિકાનો વહીવટ ઘણો સારો હતો. હાલમાં આ વિસ્તારની હોટલો અને શોરૂમ ધારકોએ તાત્કાલિક ડ્રેનેજની સફાઈ કરવા માંગ કરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…