Surendranagar

મુળીના સરલા તળાવમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરનાર છ સામે લેન્ડ ગ્રેબીંગ

મુળી તાલુકાના સરલા ગામમાં સરકારી તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરનારા માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગત 31-5-2025ના રોજ મોડી સાંજે બાતમીના આધારે સરલા ગામના તળાવમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરતા હિટાચી મશીન, 3 ડમ્પર અને 4 મોબાઈલ ફોન મળી કુલ 2,00,50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સરકારી માલિકીની જમીન પર કોઈ પણ મંજૂરી વિના મોટા પાયે ખોદકામ કરી સફેદ માટીની ચોરી કરવામાં આવતી હતી. સર્વેયર દ્વારા કરવામાં આવેલી માપણી અને વાહનચાલકોની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ખનીજ ચોરી મુળીના જયપાલસિંહ કાઠીયા અને સરલાના મુકેશ જાદવ દ્વારા કરાવવામાં આવતી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી ખનીજ સંપત્તિ લૂંટવાના આ ગંભીર કૃત્ય બદલ વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

મુળીના ઈન્ચાર્જ મામલતદાર વિજય છનાલાલ ચામડીયાએ આ મામલે 12મી માર્ચના રોજ મોડી સાંજે ખનીજ ગેરકાયદેસર રીત ખનન કરાવનાર (1) જયપાલસિંહ કાઠીયા (2) મુકેશ જાદવ ઉપરાંત ઝડપાયેલા વાહનોના માલીકો  (3) વિજય વાઘજીભાઈ શીહોરા, (4) કાના મામૈયાભાઈ ખાંભલા, (5) અરજણ સગરામભાઈ કલોતરા (6) કાળુ મોતીભાઈ ખાંભલાનો પણ સમાવેશ થાય છે. હાલમાં આ કેસની વધુ તપાસ એએસપી વેદીકા બહાની દ્વારા ચલાવવામાં આવી રહી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago