સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આજે રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ તેમજ ‘નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના’ હેઠળ અનેક લાભાર્થીઓને મંજૂરી પત્રો અને હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. સરકારની આ યોજનાઓનો મુખ્ય હેતુ છેવાડાના માનવીને આર્થિક સુરક્ષા પૂરી પાડી તેમનું જીવન ધોરણ સુધારવાનો છે.
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, શહેર મહામંત્રી વિપુલભાઇ ચૌહાણ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સહાય મેળવનાર લાભાર્થીઓએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…