સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આજે રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ તેમજ ‘નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના’ હેઠળ અનેક લાભાર્થીઓને મંજૂરી પત્રો અને હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. સરકારની આ યોજનાઓનો મુખ્ય હેતુ છેવાડાના માનવીને આર્થિક સુરક્ષા પૂરી પાડી તેમનું જીવન ધોરણ સુધારવાનો છે.
આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ, શહેર મહામંત્રી વિપુલભાઇ ચૌહાણ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સહાય મેળવનાર લાભાર્થીઓએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…