સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હવે ગેરકાયદેસર નળ કનેક્શન ધારકો સામે કડક કાર્યવાહીના એંધાણ મળી રહ્યા છે. શહેરમાં “નલ સે જલ” જેવી વિવિધ યોજનાઓ હેઠળ નવી પાઈપલાઈનો બિછાવવામાં આવી છે, પરંતુ તંત્રના સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં કુલ 80,000 થી વધુ નળ કનેક્શન હોવા છતાં, માત્ર 38,000 ધારકો જ નિયમિત વેરો ભરે છે. બાકીના 42,000 થી વધુ નળધારકો નળવેરો કે પાણીનો કર ચૂકવતા નથી, જેને તંત્રએ “ભૂતિયા કનેક્શન” તરીકે ઓળખાવ્યા છે.
માર્ચ મહિનાનું એન્ડિંગ નજીક આવતા ટેક્સ વિભાગ દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવાયો છે. ટેક્સ વિભાગના અધિકારી મહોબ્બતસિંહ પરમારના જણાવ્યા મુજબ, મકાન, દુકાન અને કોમર્શિયલ સ્થળો પર નળ કનેક્શનની કાયદેસરતા તપાસવા માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી છે.
જો તપાસ દરમિયાન કનેક્શન ગેરકાયદેસર જણાશે તો તેને તાત્કાલિક કાપી નાખવામાં આવશે. જોકે, તંત્રએ રાહત આપતા જણાવ્યું છે કે જે ધારકો બાકી રહેતો વેરો અને જોડાણનું બિલ સ્થળ પર ભરી દેશે, તેમને નળકપાતની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. વાર્ષિક માત્ર 600 રૂપિયાનો ટેક્સ હોવા છતાં લાખોની કરચોરી કરનારા તત્વો સામે હવે પાલિકાએ કડક નીતિ અપનાવી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…