Surendranagar

સુરેન્દ્રનગર: રૂ. 3.30 લાખનો ચેક રિટર્ન થતા જોરાવરનગરના શખ્સને 1 વર્ષની કેદની સજા

સુરેન્દ્રનગરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં મોટો ચુકાદો આપતા આરોપીને 01 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

આ કેસની વિગત મુજબ, જોરાવરનગરના રહેવાસી હાર્દિકભાઈ છગનભાઈ પરમારે વર્ષ 2023 માં શાંતા શોપ ઇન્ડસ્ટ્રીઝના હાર્દિક જીતેન્દ્રકુમાર વોરાને મિત્રતાના દાવે ધંધા માટે રૂ. 3.30 લાખ હાથ ઉછીના આપ્યા હતા.

આ રકમ પેટે આપવામાં આવેલો ચેક વર્ષ 2024 માં બેંકમાં જમા કરાવતા ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે બાઉન્સ થયો હતો.

ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ પાઠવવા છતાં રકમ પરત ન મળતા જૂન 2024 માં કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે હાર્દિક જીતેન્દ્રકુમાર વોરાને દોષિત જાહેર કર્યા છે.

સજાની સાથે કોર્ટે એવો પણ હુકમ કર્યો છે કે આરોપીએ ફરિયાદીને વળતર પેટે રૂ. 3.30 લાખની રકમ પણ ચૂકવવાની રહેશે. ચેક રિટર્ન કેસમાં કોર્ટના આ કડક વલણથી લેણદારોમાં ન્યાયની આશા જાગી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago