સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં યોજાઈ રહી છે. તાજેતરમાં લેવાયેલ પરીક્ષાઓમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પેપરોમાં કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે.
વિગતવાર જોઈએ તો, વિજ્ઞાન પ્રવાહમાં સંસ્કૃત વિષય માટે કુલ 745 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 742 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 03 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાતા શિક્ષણ વિભાગ દ્વારા તેની નોંધ લેવામાં આવી છે.
બીજી તરફ, સામાન્ય પ્રવાહમાં એસ.પી.સી.સી. (SPCC) વિષયનું પેપર યોજવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે જિલ્લામાંથી કુલ 3,779 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, પરંતુ પરીક્ષા સમયે 3,762 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. રાહતની વાત એ છે કે સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ કોપી કેસ કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા અને ચુસ્ત નિરીક્ષણ હેઠળ પરીક્ષાની પારદર્શિતા જાળવી રાખવામાં આવી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…