પોલીસ સ્ટેશનના વહીવટદાર હોવાની શંકા જતા 9 જેટલા પોલીસકર્મીઓને હેડકવાર્ટર માં મૂકવામાં આવ્યા..
પોલીસ બેડામાં ચકચાર ફેલાયો..
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં બદલીયો નો દોર યથાવત રહેવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી ધાંગધ્રા તાલુકા વઢવાણ મુળી લીંબળી પાણશીણા ઝીંઝુવાડા નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરી અને સુરેન્દ્રનગર હેડ કવાટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે જેમાં આઠ જેટલા પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને હેડ કવોટર મૂકવામાં આવ્યા છે અને એક પોલીસ કર્મચારી વઢવાણ પોલીસ સ્ટેશનમાં એટેચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેમને પણ બદલી કરી અને પોલીસ હેડ કવોટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે..
પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ફરજ બજાવતા હોવાની શંકા જતા અને બદલીઓ કરાઈ હોવાની ચર્ચા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વનો નિર્ણય કરી અને જાહેર હિતમાં તમામ પોલીસ કર્મચારીઓને બદલીઓ કરી અને પોલીસ હેડ કવોટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક હાજર થઈ જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
એક સાથે 09 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ જવા પામ્યો છે આગામી દિવસોમાં હજુ પણ અન્ય પોલીસ કર્મચારીઓની બદલી થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે એક સાથે નવ જેટલા પોલીસ કર્મચારીઓને હેડ કવોટરમાં મૂકવામાં આવતા પોલીસ વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે..
કોની ક્યાં બદલી કરવામાં આવી
● ખુમાનસિંહ ડોડીયા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ ક્વોટર
● વિજયસિંહ ઝાલા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ ક્વાટર
● મહેન્દ્રસિંહ ગોહિલ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ ક્વાટર
● નારાયણભાઈ આલ મૂડી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કવાટર
● પુષ્પરાજ સિંહ રાણા લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કવાટર
● હરદીપસિંહ ઝાલા પાણસીણા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કોવાટર
● ગોવાભાઇ સાવધારીયા પોલીસ સ્ટેશનથી પોલીસ હેડ કવાટર
● પ્રતાપભાઈ ખાચર નાની મોલડી પોલીસ સ્ટેશનથી પોલીસ હેડ કવાટર
● રવિન્દ્રસિંહ ડોડીયા એટેચ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કવાટર
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…