Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ 9 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીઓ કરી

પોલીસ સ્ટેશનના વહીવટદાર હોવાની શંકા જતા 9 જેટલા પોલીસકર્મીઓને હેડકવાર્ટર માં મૂકવામાં આવ્યા..

પોલીસ બેડામાં ચકચાર ફેલાયો..

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ વિભાગમાં બદલીયો નો દોર યથાવત રહેવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી ધાંગધ્રા તાલુકા વઢવાણ મુળી લીંબળી પાણશીણા ઝીંઝુવાડા નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરી અને સુરેન્દ્રનગર હેડ કવાટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે જેમાં આઠ જેટલા પોલીસ કર્મચારીઓને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને હેડ કવોટર મૂકવામાં આવ્યા છે અને એક પોલીસ કર્મચારી વઢવાણ પોલીસ સ્ટેશનમાં એટેચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા તેમને પણ બદલી કરી અને પોલીસ હેડ કવોટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે..

પોલીસ સ્ટેશનમાં વહીવટદાર તરીકે ફરજ બજાવતા હોવાની શંકા જતા અને બદલીઓ કરાઈ હોવાની ચર્ચા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વનો નિર્ણય કરી અને જાહેર હિતમાં તમામ પોલીસ કર્મચારીઓને બદલીઓ કરી અને પોલીસ હેડ કવોટર ખાતે મૂકી દેવામાં આવ્યા છે અને તાત્કાલિક હાજર થઈ જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.

એક સાથે 09 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર ફેલાઈ જવા પામ્યો છે આગામી દિવસોમાં હજુ પણ અન્ય પોલીસ કર્મચારીઓની બદલી થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે એક સાથે નવ જેટલા પોલીસ કર્મચારીઓને હેડ કવોટરમાં મૂકવામાં આવતા પોલીસ વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે..

કોની ક્યાં બદલી કરવામાં આવી

● ખુમાનસિંહ ડોડીયા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ ક્વોટર

● વિજયસિંહ ઝાલા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ ક્વાટર

● મહેન્દ્રસિંહ ગોહિલ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ ક્વાટર

● નારાયણભાઈ આલ મૂડી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કવાટર

● પુષ્પરાજ સિંહ રાણા લીંબડી પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કવાટર

● હરદીપસિંહ ઝાલા પાણસીણા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કોવાટર

● ગોવાભાઇ સાવધારીયા પોલીસ સ્ટેશનથી પોલીસ હેડ કવાટર

● પ્રતાપભાઈ ખાચર નાની મોલડી પોલીસ સ્ટેશનથી પોલીસ હેડ કવાટર

● રવિન્દ્રસિંહ ડોડીયા એટેચ વઢવાણ પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ હેડ કવાટર

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago