બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની કેનાલ તંત્ર દ્વારા હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે.
જેને લઈને ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાથી વાવેતરને નુકસાન થવાના એંધાણ.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સિંચાઈ માટે અને પિયત માટે પાણી મળી રહે તેવા આશ્રય સાથે નર્મદાની કેનાલોમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદાની કેનાલો બે કાંઠે વહી રહી છે ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી લેવામાં તો આવી રહ્યું છે પરંતુ કેનાલની બાજુમાં આવેલા ખેતરો છે તેને નુકસાન જઈ રહ્યું છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ખેડૂતોની કીમતી જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં બજર બની રહી છે બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની નર્મદાની કેનાલો છે ત્યાં તંત્ર દ્વારા હાઇલેવલ ઉપર પાણી ફેલાવવામાં આવી રહ્યું હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે જેને લઇને ખેડૂતોના જીરું ઘઉં વરિયાળી ઇસબગુલ ચણા જેવા પાકોના વાવેતરને નુકસાની ભીતિ પણ સર્જાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રીપેરીંગ ના નામે ટેન્ડરો બહાર પાડી અને ખર્ચ કરવામાં આવ્યો પરંતુ તે છતાં પણ હાઈ લેવલ ઉપર કેનાલો ચાલતી હોવાના ભેજ લાગવાની ઘટનાઓ બની રહી છે જેને લઈને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ પાસે માંગ કરવામાં આવી છે કે મૂળ સપાટી સુધી નર્મદાની કેનાલમાં પાણી શરૂ કરવામાં અને ચાલુ રાખવામાં આવે જેથી ખેડૂતોના ખેતરમાં ભેજ આવતો અટકાવી શકાય..
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…