બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની કેનાલ તંત્ર દ્વારા હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે.
જેને લઈને ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાથી વાવેતરને નુકસાન થવાના એંધાણ.
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો હાઈ લેવલ ઉપર ચલાવવામાં આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સિંચાઈ માટે અને પિયત માટે પાણી મળી રહે તેવા આશ્રય સાથે નર્મદાની કેનાલોમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદાની કેનાલો બે કાંઠે વહી રહી છે ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણી લેવામાં તો આવી રહ્યું છે પરંતુ કેનાલની બાજુમાં આવેલા ખેતરો છે તેને નુકસાન જઈ રહ્યું છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ખેડૂતોની કીમતી જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં બજર બની રહી છે બોટાદ બ્રાન્ચની અને મોરબી બ્રાન્ચની નર્મદાની કેનાલો છે ત્યાં તંત્ર દ્વારા હાઇલેવલ ઉપર પાણી ફેલાવવામાં આવી રહ્યું હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ભેજ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે જેને લઇને ખેડૂતોના જીરું ઘઉં વરિયાળી ઇસબગુલ ચણા જેવા પાકોના વાવેતરને નુકસાની ભીતિ પણ સર્જાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રીપેરીંગ ના નામે ટેન્ડરો બહાર પાડી અને ખર્ચ કરવામાં આવ્યો પરંતુ તે છતાં પણ હાઈ લેવલ ઉપર કેનાલો ચાલતી હોવાના ભેજ લાગવાની ઘટનાઓ બની રહી છે જેને લઈને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ પાસે માંગ કરવામાં આવી છે કે મૂળ સપાટી સુધી નર્મદાની કેનાલમાં પાણી શરૂ કરવામાં અને ચાલુ રાખવામાં આવે જેથી ખેડૂતોના ખેતરમાં ભેજ આવતો અટકાવી શકાય..
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…