Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું રૂ.15.24 કરોડનું પુરાંતવાળુ બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર

  • વર્તમાન બોડીની અંતિમ બજેટ બેઠક માત્ર બે મિનિટમાં આટોપાઇ
  • ડીડીઓની ગેરહાજરી ગેરહાજરી ચર્ચાનો વિષય
  • પ્રમુખ અને ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં રસ નહીં દાખવતા રોષ
  • 17મી માર્ચથી વહીવટી શાસન લાગુ થશે

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ.૧૫.૨૪ કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર થયું છે. વર્તમાન બોડીનું અંતિમ બજેટ બેઠક માત્ર બે મિનિટમાં આટોપાઇ લેવાઇ હતી. પ્રમુખ અને ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં રસ નહીં દાખવતા રોષ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૭મી માર્ચથી વહીવટી શાસન લાગુ થશે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વર્તમાન બોડીનું છેલ્લું બજેટ આજે વિપક્ષના હોબાળા અને વિવાદો વચ્ચે રજૂ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મીટિંગ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોઈ પણ નવી કે આકર્ષક જોગવાઈઓ વગરનું અત્યંત નીરસ બજેટ રજૂ કરાયું હતું. નવાઈની વાત એ છે કે, લોકશાહી ઢબે ચર્ચા કરવાને બદલે માત્ર બે જ મિનિટમાં બજેટની તમામ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી.

આગામી ૧૭મી માર્ચના રોજ વર્તમાન સભ્યો અને ચેરમેનોની ટર્મ પૂર્ણ થઈ રહી હોવાથી હવે જિલ્લા પંચાયત પર વહીવટી શાસન અમલી બનશે, તે પૂર્વે રજૂ થયેલું આ બજેટ માત્ર ઔપચારિકતા બનીને રહી ગયું હતું.

બજેટ સત્ર દરમિયાન જિલ્લા પંચાયતના ૩૨ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામીણ વિકાસ તેમજ રોજગારી અંગે રજૂઆતો કરવા માંગતા હતા. જોકે, પ્રમુખ અને જવાબદાર ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ની ગેરહાજરીમાં રજૂ થયેલા આ બજેટ બાદ પ્રમુખ અને અધિકારીઓ મીડિયાના પ્રશ્નોથી બચવા માટે ભાગતા નજરે પડયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર ચા-પાણી પીને છૂટા પડયા હોય તેવો ઘાટ સર્જાયો હતો. જિલ્લા પંચાયત અત્યારે ભાડાના મકાનમાં ચાલી રહી હોવા છતાં, તેના નવીનીકરણ કે કાયમી વ્યવસ્થા માટે બજેટમાં કોઈ નક્કર જોગવાઈ કરવામાં આવી નથી.

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરવામાં આવેલા આ અંદાજપત્રમાં કુલ રૂ.૧૫.૨૪ કરોડનું સ્વભંડોળ દર્શાવવામાં આવ્યું છે. જેમાં રૂ.૧૩ કરોડની સંભવિત આવક અને રૂ.૨.૨૪ કરોડની ઉઘડતી સિલકનો સમાવેશ થાય છે.

વિવિધ ક્ષેત્રો માટે કરાયેલી જોગવાઈઓ

ક્ષેત્ર ફાળવેલ રકમ (અંદાજિત)
સામાન્ય વહીવટ ૧.૮૭ કરોડ
મહેસૂલ ક્ષેત્ર ૬.૮૨ કરોડ
વિકાસ ક્ષેત્ર ૧.૬૪ કરોડ
બાંધકામ ક્ષેત્ર ૬૧ લાખ
સમાજ કલ્યાણ રૂ.૨૭ લાખ
શિક્ષણ અને આરોગ્ય રૂ.૩.૮૦ લાખ

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

4 days ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…

4 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

4 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

4 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

4 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

4 days ago