Surendranagar

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.રતનપર નજીક જ્યારે માલધારીઓ નદીના પટમાં પશુ ચરાવી રહ્યા હતા, ત્યારે નદીની અંદરના ભાગે ગાયોના શારીરિક અંગો, શીંગડા અને ચર્મ મળી આવતા માલધારી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં માલધારીઓ અને હિન્દુ સંગઠનોના આગેવાનો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.

ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે

ઘટનાની ગંભીરતાને જોતા જોરાવરનગર પોલીસ સ્ટેશનના ASP કરણ પન્ના સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ભોગાવો નદી ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં નદીના અંદરના ભાગમાં જ ગૌવંશની કતલ કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે તાત્કાલિક એફ.એસ.એલ. (FSL) ની ટીમને બોલાવી હતી. જેમણે સ્થળ પરથી મળેલા અવશેષોના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલ્યા છે.

માલધારી સમાજના ગંભીર આક્ષેપો

સ્થળ પર એકઠાં થયેલા માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 3 મહિનામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાંથી 200 થી વધુ ગાયોની ચોરી કરવામાં આવી છે. અને આ આવારા તત્વો રાત્રિના સમયે રખડતી ગાયોને ઉઠાવી જઈ કતલ કરી નાખે છે. માલધારીઓના જણાવ્યા મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ આ માટે જવાબદાર છે. અને તેને તાત્કાલિક બંધ કરાવવા માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી.

પોલીસની તપાસ અને કાર્યવાહી

જોરાવરનગર પોલીસે આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધીને શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ વિભાગ દ્વારા નદીના પટ અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. જેથી ગૌહત્યામાં સંડોવાયેલા તત્વોને પકડી શકાય. બીજી તરફ, તંત્ર દ્વારા સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાનાઓ પર દરોડા પાડીને તેને કાયમી ધોરણે બંધ કરાવવા માટેની વિચારણા પણ હાથ ધરવામાં આવી છે.

હાલમાં ભોગાવો નદીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને માલધારી સમાજે ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો જલદ આંદોલન કરવામાં આવશે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago