Surendranagar

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.રતનપર નજીક જ્યારે માલધારીઓ નદીના પટમાં પશુ ચરાવી રહ્યા હતા, ત્યારે નદીની અંદરના ભાગે ગાયોના શારીરિક અંગો, શીંગડા અને ચર્મ મળી આવતા માલધારી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં માલધારીઓ અને હિન્દુ સંગઠનોના આગેવાનો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.

ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે

ઘટનાની ગંભીરતાને જોતા જોરાવરનગર પોલીસ સ્ટેશનના ASP કરણ પન્ના સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ભોગાવો નદી ખાતે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં નદીના અંદરના ભાગમાં જ ગૌવંશની કતલ કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે તાત્કાલિક એફ.એસ.એલ. (FSL) ની ટીમને બોલાવી હતી. જેમણે સ્થળ પરથી મળેલા અવશેષોના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલ્યા છે.

માલધારી સમાજના ગંભીર આક્ષેપો

સ્થળ પર એકઠાં થયેલા માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 3 મહિનામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાંથી 200 થી વધુ ગાયોની ચોરી કરવામાં આવી છે. અને આ આવારા તત્વો રાત્રિના સમયે રખડતી ગાયોને ઉઠાવી જઈ કતલ કરી નાખે છે. માલધારીઓના જણાવ્યા મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ આ માટે જવાબદાર છે. અને તેને તાત્કાલિક બંધ કરાવવા માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી.

પોલીસની તપાસ અને કાર્યવાહી

જોરાવરનગર પોલીસે આ મામલે જાણવા જોગ ફરિયાદ નોંધીને શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ વિભાગ દ્વારા નદીના પટ અને આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. જેથી ગૌહત્યામાં સંડોવાયેલા તત્વોને પકડી શકાય. બીજી તરફ, તંત્ર દ્વારા સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર કતલખાનાઓ પર દરોડા પાડીને તેને કાયમી ધોરણે બંધ કરાવવા માટેની વિચારણા પણ હાથ ધરવામાં આવી છે.

હાલમાં ભોગાવો નદીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને માલધારી સમાજે ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો જલદ આંદોલન કરવામાં આવશે. આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે.

User 3

Recent Posts

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…

2 days ago

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…

2 days ago

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…

2 days ago

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…

2 days ago

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…

2 days ago

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો: ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો

ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મિડલ…

2 days ago