સુરેન્દ્રનગર જિલ્લામાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે. જિલ્લાની અંદાજે 1355 આંગણવાડીઓના 2710 જેટલા કર્મચારીઓ આજથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે.
વઢવાણ સહિત તમામ તાલુકા પંચાયત કચેરીઓ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનને કારણે જિલ્લાના અંદાજે 20,000 થી વધુ બાળકોને મળતા પૌષ્ટિક આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર સીધી અસર પડી છે.
આંગણવાડી સંચાલકોની મુખ્ય માંગણીઓમાં વેતન વધારો, વર્ષ 2018 પછી જૂના થયેલા મોબાઈલ ફોનના બદલે નવા સ્માર્ટફોનની ફાળવણી અને વિવિધ બિલોની સમયસર ચુકવણીનો સમાવેશ થાય છે. અગાઉ 15 દિવસમાં 3 વખત આવેદનપત્ર આપવા છતાં આઈસીડીએસ (ICDS) વિભાગ દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા બહેનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. શરૂઆતમાં માત્ર ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરાયો હતો, પરંતુ હવે શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આ હડતાલ 3 દિવસની જાહેર કરવામાં આવી છે, પરંતુ ત્યારબાદ શનિવાર, રવિવાર અને તહેવારની રજાઓ આવતી હોવાથી આંગણવાડીઓ સતત 5 દિવસ સુધી બંધ રહેશે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી પોષણ યોજના ખોરવાઈ ગઈ છે. વિરોધ કરી રહેલી મહિલાઓએ ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે પગાર વધારાનો નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. આગામી સમયમાં જિલ્લા કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી આંદોલન વધુ તેજ બનાવવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…