સુરેન્દ્રનગરના મુખ્ય અને અત્યંત વ્યસ્ત ગણાતા 80 ફૂટ રોડ પર નવરંગ 2 થી ભક્તિનંદન સર્કલ સુધીના માર્ગ પર વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા રોડ પર ખોદવામાં આવેલા ખાડાઓ 25 દિવસ વીતી ગયા હોવા છતાં બૂરવામાં આવ્યા નથી. જેના કારણે સમગ્ર રસ્તો વન-વે બની ગયો છે અને અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે.
સ્થાનિક તંત્રની આ નિષ્ક્રિયતા સામે શાસક પક્ષમાંથી જ વિરોધનો સૂર ઉઠ્યો છે. ભાજપના પૂર્વ સદસ્ય હિતેશભાઈ બજરંગે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને મહાનગરપાલિકાની કામગીરી સામે તીખો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે મનપાની બેદરકારી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી પ્રજા આજે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહી ગઈ છે.
આ જ વિસ્તારમાં આવેલા ‘આઇકોનિક રોડ’નું કામ પણ છેલ્લા 1 વર્ષથી ખોરંભે પડ્યું છે. એક તરફ અધૂરું કામ અને બીજી તરફ ખુલ્લા ખાડાઓને કારણે વાહનો એક જ સાઈડથી પસાર કરવા પડી રહ્યા છે.
ભાજપના જ સદસ્ય દ્વારા પ્રજાની વ્યથા રજૂ કરાતા મનપામાં ખળભળાટ મચ્યો છે અને સ્થાનિકો તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરી રસ્તો પૂર્વવત કરવાની માંગ કરી રહ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…