સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના પાટિયા પાસે એક પુરપાટ ઝડપે જતી આઈશર ટ્રકની પાછળ બાઈક ધડાકાભેર ઘૂસી જતાં 12 વર્ષના નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં પરિવારના અન્ય 3 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
મળતી વિગત મુજબ, પરનાળા ગામનો આ પરિવાર શ્રીમંતનો પ્રસંગ પૂર્ણ કરી બાઈક પર સવાર થઈ રાજકોટ પરત જઈ રહ્યો હતો. તે દરમિયાન આઈશર ચાલકે અચાનક બ્રેક મારતા અથવા ગફલતભરી રીતે વાહન હંકારતા પાછળ આવી રહેલું બાઈક તેમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં 12 વર્ષીય અજય દિનેશભાઈ મીઠાપરાનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે તેના પિતા દિનેશભાઈ દીપાભાઈ મીઠાપરાને ગંભીર ઈજાઓ પહોંચી છે. અન્ય ઈજાગ્રસ્તોમાં માયાબેન મીઠાપરા અને જયદીપભાઈ કાલિયાનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, પિતા દિનેશભાઈની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાયલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી આઈશર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રસંગના હરખમાં રહેલા પરિવાર પર અચાનક આવી પડેલી આફતથી પરનાળા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…
સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના…