Surendranagar

લખતરના નાયબ મામલતદાર અને પટાવાળો 20 હજારની લાંચ લેતા ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લો જાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની રહ્યો હોય તેમ મહેસૂલી વિભાગમાં લાંચ લેવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ જમીન કૌભાંડમાં જેલના સળિયા ગણી રહ્યા હોવા છતાં, અધિકારીઓ ભ્રષ્ટાચાર છોડવા તૈયાર નથી.

તાજેતરની ઘટનામાં લખતર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર જયદીપસિંહ હનુભા પરમાર અને આઉટ સોર્સિંગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા કનકસિંહ વાઘુભા ઝાલા 20,000 ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા છે.

સમગ્ર વિગત મુજબ, લખતર તાલુકાના વડલા ગામે આવેલ ખેત જમીનની વેચાણ અંગેની નોંધ પ્રમાણિત કરી આપવા બદલ આરોપીઓએ ફરિયાદી પાસે 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેમાં પ્રથમ હપ્તા તરીકે 20,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી (ACB) નો સંપર્ક કર્યો હતો. સુરેન્દ્રનગર એસીબી વિભાગ દ્વારા છટકું ગોઠવીને લખતર મામલતદાર કચેરીમાં જ્યારે પટાવાળો નાયબ મામલતદાર વતી લાંચ સ્વીકારી રહ્યો હતો ત્યારે જ બંનેને ઝડપી પાડ્યા હતા.

આ ભ્રષ્ટાચારના મામલે એસીબી દ્વારા બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અગાઉ પણ જિલ્લાના અનેક ઉચ્ચ અધિકારીઓ જમીનના કામોમાં રૂપિયા પડાવવાના આક્ષેપ હેઠળ જેલ જઈ ચૂક્યા છે. લખતરની આ ઘટનાએ મહેસૂલી વિભાગની છબી પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. એસીબી હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ આ બંનેએ કેટલા લોકો પાસે જમીનના કામો માટે લાંચ લીધી છે.

user 2

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago