સુરેન્દ્રનગરના આંગણે ભારતનું ગૌરવ: ચેમ્પિયન ઘોડા ‘દિલબાગ’નો વંશજનું ભવ્ય સ્વાગત
રાષ્ટ્રીય કાક્ષાની હરીફાઇમા આ ઘોડાને ઉતારવામા આવશે
ઢોલ નગારા સાથે કર્યુ ઘોડાનુ સ્વાગત
સુરેન્દ્રનગર: ગુજરાતના સુરેન્દ્રનગર શહેરમાં આજે ઘોડાપ્રેમીઓ અને સ્થાનિકો માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ ઊભી થઈ હતી. દેશભરમાં જેની નામના છે તેવા ‘દિલબાગ’ ઘોડાનો વંશજ અને એક હોનહાર બચ્ચું આજે શહેરમાં લાવવામાં આવતા તેનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપાસના સર્કલ પાસેથી વાજતે-ગાજતે નીકળેલા આ સ્વાગત સરઘસે શહેરનું વાતાવરણ ઉત્સાહથી ભરી દીધું હતું.
સુરેન્દ્રનગરના ઘોડાપ્રેમી અને ઉછેરક સોયબ અનવરભાઈ કંડિયા આ બચ્ચાને ખાસ કરીને લઈ આવ્યા છે. સોયબભાઈએ જણાવ્યું કે, “આ ક્ષણ સુરેન્દ્રનગર માટે ખરેખર ગૌરવ ભરી છે. અમે જે બચ્ચું લાવ્યા છીએ તે સામાન્ય નથી, પરંતુ ભારતનું ગૌરવ ગણાતા સુપ્રસિદ્ધ ઘોડાની પેઢીમાંથી આવે છે.”
આ બચ્ચાની વંશાવળી તેને ખાસ બનાવે છે. આ બચ્ચાનું આગમન ‘પાયલા સ્ટડ ફાર્મ’માં લાવવામાં આવ્યું છે, જે રણજીતસિંહની દેખરેખ હેઠળ ચાલે છે.
”દિલબાગ’ ઘોડો ઓલ ઈન્ડિયા ચેમ્પિયન તરીકેની નામના ધરાવે છે અને હાલમાં તે ‘રણિયા સ્ટડ ફાર્મ’માં સની પાજીની દેખરેખ હેઠળ છે. ‘દિલબાગ’નું નામ ભારતીય ઘોડા ઉછેર જગતમાં ખૂબ આદરપૂર્વક લેવાય છે.
આ ઘોડાના પિતાનું નામ ‘દિલજાન’ છે, જે ‘દિલબાગ’નો પુત્ર છે. ‘દિલજાન’ પોતે પણ અનેક સ્પર્ધાઓ અને શૉઝમાં 100થી વધુ વિજેતા બની ચૂક્યો છે, જે તેની શક્તિ અને શ્રેષ્ઠતાનો પુરાવો છે.
સોયબ અનવરભાઈ કંડિયાએ પોતાના શોખ વિશે વાત કરતા જણાવ્યું કે, “ઘોડા રાખવાનો મને બાળપણથી શોખ છે અને તેથી જ હું આ બચ્ચું લાવ્યો છું.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ બચ્ચાને લાવવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ માત્ર શોખ પૂરતો સીમિત નથી. તેમનું સપનું છે કે ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાના ઘોડા શો માં ઉતારવામાં આવે, જ્યાં તે તેના પિતા અને દાદાની જેમ વિજેતા બને અને સુરેન્દ્રનગરનું નામ રોશન કરે.
સોયબભાઈએ વધુમાં જણાવ્યું કે, “અમે તેને ચેમ્પિયન બનાવવાની આશા સાથે અહીં લાવ્યા છીએ. તેની સંભાળ અને તાલીમ શ્રેષ્ઠ રીતે કરવામાં આવશે, જેથી તે તેના પૂર્વજોની ગૌરવપૂર્ણ પરંપરાને જાળવી શકે.”
આ બચ્ચાનું સુરેન્દ્રનગર ખાતેનું આગમન માત્ર એક પશુનું આગમન નથી, પરંતુ શ્રેષ્ઠ ઘોડા ઉછેરની પરંપરાને આગળ વધારવાનો એક પ્રયાસ છે. સ્થાનિક ઘોડાપ્રેમીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ બચ્ચું પણ’ ભવિષ્યમાં શહેરનું નામ ઘોડા શોની દુનિયામાં ગુંજતું કરશે
ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…
સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…