Surendranagar

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની બે કંપનીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનુ ચેકીંગ

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની બે કંપનીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનુ ચેકીંગ

ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમા 10 તેલના નમુનાઓ લેવાયા

દિવાળી ટાણેજ કેમ લોકોના આરોગ્ય ની ચિંતા તંત્રનેથાયછે બાકીના મહીનાઓમા શુ કરેછે ?

સુરેન્દ્રનગર: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોના જનઆરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો તેમજ ડિસ્કો તેલ વેચાતું હોવાનું ધ્યાને આવતા તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું.

સુરેન્દ્રનગર કલેક્ટરના આદેશથી, ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાની આગેવાની હેઠળની ટીમે ખાદ્યતેલનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પર તપાસ કરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં વેચાતા ખાદ્યતેલની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાનો છે.

તપાસ દરમિયાન, વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બે કંપનીઓ— ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ — ખાતે સ્થળ પરની તપાસ કરવામાં આવી હતી. ટીમે આ બંને કંપનીઓમાંથી આશરે દસ જેટલા ખાદ્યતેલના નમૂના લીધા હતા

ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાએ જણાવ્યું હતું કે, “અમારી ટીમે આજે ઓઇલ ટીનીંગ કરતી બે કંપનીઓ પર તપાસ કરી છે. ખાદ્ય તેલના દસેક જેટલા નમૂના લઈને અમે લેબોરેટરીમાં મોકલાવી રહ્યા છીએ. લેબોરેટરીના રિપોર્ટના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

આ આકસ્મિક ચેકિંગ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે કે ગ્રાહકોને આરોગ્યપ્રદ અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરી રિપોર્ટમાં જો નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો સંબધિત કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

ત્યોહાર ટાણેજ કેમ ચેકીંગ પછી કેમ ચુપ?

ફુડ એન્ડ ડ્રગ અને પુરવઠા વિભાગને સૌથી મોટાત્યોહાર દિવાળી ટાણેજ કેમ પ્રજાના આરોગ્ય ની ચિંતાઓ જાગેછે બાકીના મહીનામા કેમ કામગીરી ઠપ્પ થઇ જાયછે અને એક કે બે જગ્યાએ જયને નમુનાઓ લયને સંતોષ માની લેવામા આવેછે શુ ત્યોહાર ટાણેજ આ બધુ નિવેધ ધરાવવા માટેનુ તરકટ છે કે શુ એવી પણ લોકોમા ચર્ચાઓ વહેતી થય છે શહેરમા ને જીલ્લામા આવી અનેક ભેળસેળ યુક્ત હાટડીઓ ચાલેછે .

સુરેન્દ્રનગર સહીત સમગ્ર જીલ્લામા ભેળસેળ યુક્ત અને ખાદ્યપદાર્થો હોયકે ફરસાણની દુકાનો ચલાવતા તમામને ત્યા ચેકીંગ કેમ રૂટીન કરાતુ નથી ત્યોહાર ટાણે વેચાતા ફરસાણ વિવિધ મીઠાઇઓ એને બનાવવા વપરાતા માવા તેલ સહીતમા મોટાપાયે ભેળસેળ થતુ હોવાની અનેક ફરીયાદો ઉઠેછે આ તમામ જગ્યાએ કોણ ચેકીંગ કરશે અને ક્યારે ચેકીંગ કરશે ? એ સૌથી મોટો સવાલ છે.

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago