Surendranagar

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની બે કંપનીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનુ ચેકીંગ

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની બે કંપનીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનુ ચેકીંગ

ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમા 10 તેલના નમુનાઓ લેવાયા

દિવાળી ટાણેજ કેમ લોકોના આરોગ્ય ની ચિંતા તંત્રનેથાયછે બાકીના મહીનાઓમા શુ કરેછે ?

સુરેન્દ્રનગર: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોના જનઆરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો તેમજ ડિસ્કો તેલ વેચાતું હોવાનું ધ્યાને આવતા તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું.

સુરેન્દ્રનગર કલેક્ટરના આદેશથી, ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાની આગેવાની હેઠળની ટીમે ખાદ્યતેલનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પર તપાસ કરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં વેચાતા ખાદ્યતેલની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાનો છે.

તપાસ દરમિયાન, વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બે કંપનીઓ— ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ — ખાતે સ્થળ પરની તપાસ કરવામાં આવી હતી. ટીમે આ બંને કંપનીઓમાંથી આશરે દસ જેટલા ખાદ્યતેલના નમૂના લીધા હતા

ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાએ જણાવ્યું હતું કે, “અમારી ટીમે આજે ઓઇલ ટીનીંગ કરતી બે કંપનીઓ પર તપાસ કરી છે. ખાદ્ય તેલના દસેક જેટલા નમૂના લઈને અમે લેબોરેટરીમાં મોકલાવી રહ્યા છીએ. લેબોરેટરીના રિપોર્ટના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

આ આકસ્મિક ચેકિંગ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે કે ગ્રાહકોને આરોગ્યપ્રદ અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરી રિપોર્ટમાં જો નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો સંબધિત કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

ત્યોહાર ટાણેજ કેમ ચેકીંગ પછી કેમ ચુપ?

ફુડ એન્ડ ડ્રગ અને પુરવઠા વિભાગને સૌથી મોટાત્યોહાર દિવાળી ટાણેજ કેમ પ્રજાના આરોગ્ય ની ચિંતાઓ જાગેછે બાકીના મહીનામા કેમ કામગીરી ઠપ્પ થઇ જાયછે અને એક કે બે જગ્યાએ જયને નમુનાઓ લયને સંતોષ માની લેવામા આવેછે શુ ત્યોહાર ટાણેજ આ બધુ નિવેધ ધરાવવા માટેનુ તરકટ છે કે શુ એવી પણ લોકોમા ચર્ચાઓ વહેતી થય છે શહેરમા ને જીલ્લામા આવી અનેક ભેળસેળ યુક્ત હાટડીઓ ચાલેછે .

સુરેન્દ્રનગર સહીત સમગ્ર જીલ્લામા ભેળસેળ યુક્ત અને ખાદ્યપદાર્થો હોયકે ફરસાણની દુકાનો ચલાવતા તમામને ત્યા ચેકીંગ કેમ રૂટીન કરાતુ નથી ત્યોહાર ટાણે વેચાતા ફરસાણ વિવિધ મીઠાઇઓ એને બનાવવા વપરાતા માવા તેલ સહીતમા મોટાપાયે ભેળસેળ થતુ હોવાની અનેક ફરીયાદો ઉઠેછે આ તમામ જગ્યાએ કોણ ચેકીંગ કરશે અને ક્યારે ચેકીંગ કરશે ? એ સૌથી મોટો સવાલ છે.

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago