Categories: Uncategorized

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ પર આવેલ બગીચા અંદર નાખવામાં આવેલ પેવરબ્લોક બેસી ગયા..

બગીચામાં આવેલા બાકડાઓ પણ તૂટેલી હાલતમાં..

રિવરફ્રન્ટ પર મહાનગરપાલિકા દ્વારા બનાવામાં આવ્યો છે બગીચો..

ઠેરઠેર જગ્યા પર બ્લોક જમીનમાં બેસી ગયા..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નો ડ્રીમ પ્રોજેક્ટ એટલે સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ પરંતુ જ્યારથી રિવરફ્રન્ટ બન્યો છે ત્યારથી વિવાદમાં આવી રહ્યો છે રિવરફ્રન્ટ ઉપર શહેરીજનોને ભોગાવો નદી કાંઠે બેસી શકાય અને નાના બાળકોને રાઇડો ની મજા માણી શકાય તે માટે ક્રિયાગણના સાધનો મૂકવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર શહેરીજનો તેનો લાભ પણ લઈ રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલો બગીચો છે તે અત્યંત બિસ્માર હાલતમાં બની ગયો છે.

બગીચાની અંદર મૂકવામાં આવેલા બાંકડાઓ છે તે પણ તૂટેલી હાલતમાં છે તો બીજી તરફ સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલો બગીચો છે તે ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવી રહ્યો છે તેના અંદર નાખવામાં આવેલા પેવર બ્લોક પણ ગુમ થઈ ગયા છે અને અનેક જગ્યાઓ ઉપરથી બગીચાની અંદરનો ભાગ બેસી જવા પામ્યો છે બાજુમાં ભોગાવો નદી આવેલી છે તેની ઉપર દિવાલ બનાવી અને આખો બગીચો બનાવવામાં આવ્યો છે.

નાના બાળકો વૃદ્ધો અને યુવા વર્ગ શિયાળાના સમયમાં રનીંગ માટે આ બગીચા નો ઉપયોગ કરતા હોય છે ત્યારે હાલના તબક્કામાં બગીચો બિસ્માર હાલતમાં બની ગયો હોવાના કારણે બગીચામાં આવતા લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે બગીચામાં વ્યવસ્થિત રીતે બાંકડાઓ મૂકવામાં આવે અને ખાસ કરીને જ્યાં પેવર બ્લોક બેસી ગયા છે અને અંદરની જમીન બેસી ગઈ છે તેનું રીનોવેશન કામ શરૂ કરી અને વ્યવસ્થિત રીતે બગીચો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ નો રોડ રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે ત્યારે તેનો પણ સમારકામ કરાવી અને રિવરફ્રન્ટ ડેવલપ થાય તે પ્રકારની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે કારણ કે રિવરફ્રન્ટના રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે અને બનાવવામાં આવેલા બગીચો છે તે પણ અત્યંત દયનિય હાલતમાં છે તંત્ર દ્વારા વિચારણા કરી યોગ્ય મરામત કરાવવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનો અને બગીચામાં આવતા લોકો દ્વારા માંગ કરાઈ છે..

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago