Categories: Surendranagar

સુરેન્દ્રનગર માં તંત્રની બેદરકારીથી ખેડૂતો પરેશાન

સુરેન્દ્રનગરના અણીન્દ્રા નજીક માઇનોર કેનાલમાં સ્મારકામ દરમિયાન પાણી છોડવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં નર્મદા કેનાલ નું પાણી ભરાયું.

જીરુ વરિયાળી ચણા સહિતના પાકોના વાવેતરને વ્યાપક નુકસાન..

અણીન્દ્રા માઇનોર-1નું સમારકામ કરવામાં આવી રહ્યું છે તે છતાં પણ અચાનક પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા..

સુરેન્દ્રનગર જિલ્લોએ નર્મદાની કેનાલ નો સૌથી વધુ લાભ લેતો જિલ્લો છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે નર્મદાની કેનાલો સુરેન્દ્રનગર જિલ્લામાં અભિશ્રાપ રૂપ બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને વારંવાર પરેશાનીમાં મુકાવું પડી રહ્યું છે અને ખેડૂતોનું નુકસાન પણ થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અણીન્દ્રા નજીક પસાર થતી માઇનોર 1 કેનાલનું તંત્ર દ્વારા ભર શિયાળામાં સમારકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પણ શરૂ રાખવામાં આવી છે.

ત્યારે બીજી તરફ સમારકામ થતી નર્મદાની માઇનોર કેનાલમાં તંત્રના અધિકારીઓ દ્વારા પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે 10 થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે જીરું વરિયાળી જેવા પાકોના વાવેતર ને વ્યાપક નુકસાન પહોંચ્યું છે એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ઓક્ટોબર મહિનાના છેલ્લા સપ્તાહમાં પડેલા માવઠાના કારણે નુકસાની નો સામનો વેઠી રહ્યા છે ત્યારે હવે તંત્રના અધિકારીઓની બેદરકારીના કારણે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત ચિંતામાં મુકાયો છે.

સમારકામ થતી કેનાલમાં બેફામ રીતે પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને ખેડૂતો ખેતરમાં જઈ શકે તેવી પણ હવે કોઈ પરિસ્થિતિ નથી 15 દિવસ સુધી પાણી ભરાયેલા રહે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈને ખેડૂતોમાં રોજ જોવા મળી રહ્યો છે હાલના તબક્કામાં કપાસ એરંડા જેવા પાકો પણ ખેડૂતોના ખેતરોમાં ઊભા છે ત્યારે તે પણ લેવાની સિઝન છે અને બીજી તરફ રવિ પાકના વાવેતર કરવાની પણ સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે.

અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની ગઈ છે વાવેતરને નુકસાન પહોંચ્યું છે ત્યારે અધિકારીઓને જાણ કરવા છતાં પણ નર્મદાની કેનાલો બંધ કરવામાં ન આવતા અને સતત પાણી છોડવાનું શરૂ રાખવામાં આવતા પાણી આગળના ખેતરોમાં પણ ભરાવાનું હવે શરૂ થઈ ગયું છે જેને લઈને ખેડૂતોના જીવતા ચોંટી ગયા છે જીરું વરિયાળી ઇસબગુલ શાકભાજી અને ચણાનું વાવેતર ખેડૂતોએ ઉત્સાહભેર કર્યું છે ત્યારે હવે વાવેતર ઉપર ફરી પાણી ફરી વળવા પામ્યું છે.

● જે રીપેરીંગની કામગીરી ઉનાળામાં કરવાની હોય તે તંત્ર શિયાળામાં કરે છે – ખેડૂતો નો આક્રોશ.

સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ ખેતરોમાં વાવેતર કર્યું નથી હોતું તે સમયે નર્મદાની કેનાલોનું રીપેરીંગ કામ હોય સ્વચ્છતા નું કામ હોય કે પછી નવીનીકરણનું કામ હોય તે ઉનાળામાં કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે શિયાળાના સીઝનમાં ખેડૂતો દ્વારા દર વર્ષે રવિ પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે જ તંત્રને પહેલા રીપેરીંગ નું કામ સાંભળી રહ્યું છે જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે અણીન્દ્રા ગામની સીમમાં કેનાલના સમારકામ દરમિયાન પાણી છોડી દેવામાં આવતા 10 થી વધુ ખેતરમાં પાણી ભરાઈ ગયા છે જેને લઇને પણ ખેડૂતો રોસે ભરાયા છે

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

3 days ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

4 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

4 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

4 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

4 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

1 week ago