Categories: Surendranagar

સુરેન્દ્રનગરઃ દુધરેજ પુલના ડ્રાઇવર્જન રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા વહાનચાલકો પરેશાન

સાંજના સમયે પસાર થતાં સમયે ફરજિયાત મોઢે રૂમાલ રાખવો પડી રહ્યો છે.

તંત્ર દ્વારા પાણી છટકાવવાની કામગીરી અને તાત્કાલિક પુલ શરૂ કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ..

બાજુમાં નર્મદાની કેનાલના પાણીમાં પણ ધૂળ અને ડમરીઓ થઇ રહી છે મિક્સ

સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ ઉપર આવેલો જર્જરીત બની ગયેલો પુલ છેલ્લા ચાર મહિનાથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે હાલના તબક્કામાં પુલનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરનો દુધરેજ નર્મદા કેનાલ ઉપર આવેલો આ એકમાત્ર પુલ એવો છે કે જે કચ્છ માલવણ પાટડી અને ધાંગધ્રા તરફ જતા વાહનોને અત્યંત ઉપયોગી બનતો હોય છે વડોદરામાં બનેલી પુલ તૂટવાની ઘટના બાદ તંત્ર દ્વારા જિલ્લાના 13 જેટલા પુલો બંધ કરવામાં આવ્યા છે જે પૈકી દુધરેજ ખાતે આવેલો પુલ પણ તંત્ર એ બંધ કર્યો છે.

જ્યાર થી આ પુલ બંધ કરવામાં આવ્યો છે ત્યારથી આજુબાજુના 40 થી વધુ ગામના લોકો તો હાલાકી ભોગવી રહ્યા છે સાથોસાથ ટ્રાન્સપોર્ટ ધારકો હોય અથવા તો મોટા વાહનો હોય તે આ પુલ બંધ કરવામાં આવ્યા બાદ આપવામાં આવેલા ડ્રાઇવર્જન ઉપરથી પસાર નથી થઈ શકતા પરિણામે મોટા વાહન ચાલકોને 20 થી 22 કિલોમીટરનો ધક્કો ખાઈ અને પસાર થવું પડી રહ્યું છે પુલ બનાવ્યો તે દરમિયાન રસ્તાઓ બનાવવામાં આવ્યા પરંતુ ત્યાં માટી અને કોંક્રેટ નો ભૂકો નાખવામાં આવતા સાંજના સમયે પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે સમસ્યા એવી સર્જાઇ રહી છે કે ધૂળ અને ડમરી ઉડવાના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ફરજિયાત મોઢે માસ્ક લગાવવું પડે છે અથવા તો ત્યાંથી પસાર થતા સમયે મોઢે રૂમાલ રાખવો પડે છે નહિતર ધૂળ અને ડમરીઓ શ્વાસોશ્વાસમાં શરીરમાં પ્રવેશ કરે છે પરિણામે શરદી ઉધરસ અને ફેફસાને લગતી બીમારી વાહન ચાલકોને થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે અસ્થમા અને શ્વાસોશ્વાસની બીમારીથી પીડિત લોકો છે તે તો આ પુલ ઉપરથી વાહનો લઇ અને પસાર થતાં ડરી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે..

નજીકમાં દુધરેજ નર્મદાની કેનાલ આવેલી છે અને આ કેનાલ માંથી સૌની યોજનામાં સૌરાષ્ટ્ર ભરના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા કેનાલમાં ભરેલા પાણી સાથે પણ ધૂળ અને ડમરી નું સામ્રાજ્ય જામી જતું હોવાના કારણે લોકોના નળ કનેક્શન સુધી દુધરેજ રોડ ઉપર ઉડતી ડમરીઓ પહોંચી રહી છે પરિણામે લોકોના શરીરમાં પણ જઈ રહી છે અને બીમારી નું ઘર પણ બની રહી છે તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે સાંજના સમયે પાણી છટકાવની કામગીરી શરૂ કરી અને તાત્કાલિક જે આ પૂર્ણ કામ ચાલી રહ્યું છે તે પૂરો કરી અને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી પ્રજાજનો વહનચાલકોની માંગ છે

jeet

Recent Posts

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે રિબન કાપી કાર્યાલય ખુલ્લું મુકાયું ભાજપના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા…

3 days ago

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) પૂર્વે…

4 days ago

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના ગુંદા ગામની સીમમાં આવેલી પવનચક્કીમાં થયેલી મોટી ચોરીનો ભેદ પોલીસે…

4 days ago

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ પરના તબીબો અને સ્ટાફ સાથે ગેરવર્તનની ઘટનાઓમાં ચિંતાજનક વધારો…

4 days ago

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની સામાન્ય…

4 days ago

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સત્તાવાર મતદાન પૂર્વે જ રાજકીય માહોલ સંપૂર્ણપણે કેસરીયો બની ગયો…

1 week ago