Categories: Surendranagar

સુરેન્દ્રનગરઃ દુધરેજ પુલના ડ્રાઇવર્જન રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા વહાનચાલકો પરેશાન

સાંજના સમયે પસાર થતાં સમયે ફરજિયાત મોઢે રૂમાલ રાખવો પડી રહ્યો છે.

તંત્ર દ્વારા પાણી છટકાવવાની કામગીરી અને તાત્કાલિક પુલ શરૂ કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગ..

બાજુમાં નર્મદાની કેનાલના પાણીમાં પણ ધૂળ અને ડમરીઓ થઇ રહી છે મિક્સ

સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ ઉપર આવેલો જર્જરીત બની ગયેલો પુલ છેલ્લા ચાર મહિનાથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે હાલના તબક્કામાં પુલનું સમારકામ ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરનો દુધરેજ નર્મદા કેનાલ ઉપર આવેલો આ એકમાત્ર પુલ એવો છે કે જે કચ્છ માલવણ પાટડી અને ધાંગધ્રા તરફ જતા વાહનોને અત્યંત ઉપયોગી બનતો હોય છે વડોદરામાં બનેલી પુલ તૂટવાની ઘટના બાદ તંત્ર દ્વારા જિલ્લાના 13 જેટલા પુલો બંધ કરવામાં આવ્યા છે જે પૈકી દુધરેજ ખાતે આવેલો પુલ પણ તંત્ર એ બંધ કર્યો છે.

જ્યાર થી આ પુલ બંધ કરવામાં આવ્યો છે ત્યારથી આજુબાજુના 40 થી વધુ ગામના લોકો તો હાલાકી ભોગવી રહ્યા છે સાથોસાથ ટ્રાન્સપોર્ટ ધારકો હોય અથવા તો મોટા વાહનો હોય તે આ પુલ બંધ કરવામાં આવ્યા બાદ આપવામાં આવેલા ડ્રાઇવર્જન ઉપરથી પસાર નથી થઈ શકતા પરિણામે મોટા વાહન ચાલકોને 20 થી 22 કિલોમીટરનો ધક્કો ખાઈ અને પસાર થવું પડી રહ્યું છે પુલ બનાવ્યો તે દરમિયાન રસ્તાઓ બનાવવામાં આવ્યા પરંતુ ત્યાં માટી અને કોંક્રેટ નો ભૂકો નાખવામાં આવતા સાંજના સમયે પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે સમસ્યા એવી સર્જાઇ રહી છે કે ધૂળ અને ડમરી ઉડવાના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ફરજિયાત મોઢે માસ્ક લગાવવું પડે છે અથવા તો ત્યાંથી પસાર થતા સમયે મોઢે રૂમાલ રાખવો પડે છે નહિતર ધૂળ અને ડમરીઓ શ્વાસોશ્વાસમાં શરીરમાં પ્રવેશ કરે છે પરિણામે શરદી ઉધરસ અને ફેફસાને લગતી બીમારી વાહન ચાલકોને થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે અસ્થમા અને શ્વાસોશ્વાસની બીમારીથી પીડિત લોકો છે તે તો આ પુલ ઉપરથી વાહનો લઇ અને પસાર થતાં ડરી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે..

નજીકમાં દુધરેજ નર્મદાની કેનાલ આવેલી છે અને આ કેનાલ માંથી સૌની યોજનામાં સૌરાષ્ટ્ર ભરના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે નર્મદા કેનાલમાં ભરેલા પાણી સાથે પણ ધૂળ અને ડમરી નું સામ્રાજ્ય જામી જતું હોવાના કારણે લોકોના નળ કનેક્શન સુધી દુધરેજ રોડ ઉપર ઉડતી ડમરીઓ પહોંચી રહી છે પરિણામે લોકોના શરીરમાં પણ જઈ રહી છે અને બીમારી નું ઘર પણ બની રહી છે તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે સાંજના સમયે પાણી છટકાવની કામગીરી શરૂ કરી અને તાત્કાલિક જે આ પૂર્ણ કામ ચાલી રહ્યું છે તે પૂરો કરી અને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકવામાં આવે તેવી પ્રજાજનો વહનચાલકોની માંગ છે

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago