Categories: Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને અસર

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100 થી વધુને આસર

 100 થી વધુ લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા તમામની સ્થિતિ સુધારા પર

વઢવાણ લીંબડી અને આજુબાજુના ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર ગ્રામજનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા..

ગામમાં આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે ઘરના વાસ્તુ પ્રસંગે ઝેરી ખોરાકની 100 થી વધુ લોકોને અસર થઈ છે ત્યારે ઝાડા ઉલટી અને તાવ અને પગ પકડાઈ જવાની ઘટનાઓ બની જવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગોમટા ગામે મહેશ પટેલ અને તેમના પરિવારજનો દ્વારા નવું મકાન બનાવવામાં આવ્યું હતું અને તેનો વાસ્તુનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આજુબાજુ સહિતના ગ્રામજનો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને 600 લોકો ને વાસ્તુના પ્રસંગમાં ભોજન પીરસાયું હતું.

પરંતુ તે દરમિયાન વાસ્તુના પ્રસંગમાં છાશ પીધા બાદ 100થી વધુ લોકોની તબિયત લથડી જવા પામી હતી પ્રાથમિક તબક્કામાં આજુબાજુના ખાનગી ક્લિનિકોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ભોગ બનના લોકોની હાલત ગંભીર હોવાના કારણે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લીંબડીની આરઆર હોસ્પિટલમાં અને આજુબાજુના સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જોકે આ બાબતને જાણ થતા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું હતું. ગામમાં જ ભોગ બનનાર તમામ લોકોને સારવાર મળી રહે તે બદલ 6 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી જે લોકોએ ભોજન આરોગ્ય હતું તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી હતી નાના બાળકો મહિલાઓ વૃદ્ધોની તબિયત ઉપર ભારે અસર જોવા મળી હતી સારવાર બાદ તમામની તબિયત સારી થતા તમામને હોસ્પિટલથી રજા અપાઇ હતી

ઘેરઘેર આરોગ્યટીમે તપાસ કરી

નાના એવા ગોમટા ગામમાં ફૂડ પોઝિંગ ની અસર થતા ગામમાં પણ ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ઘરઘરે માદગીના ખાટલાઓ જોવા મળ્યા હતા અને ફળિયામાં જ ખાટલા નાખી અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ભોગબનાર લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. વધુ તબિયત લથડતી હોય તો તેમને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા.

તમામ આઇટમના નમુના લેવાયા

સમગ્ર ઘટનાને લઇ ઝેરી ખોરાકના નમૂના લેવાયા હતા આ સંદર્ભે હાલમાં એક જ ગામમાં 100 થી વધુ લોકોને ઝેરી ખોરાકની અસર થઈ જતા આરોગ્ય વિભાગની ટીમોમાં પણ દોડધામ મચી છે સરપંચ સહિતના આગેવાનો પણ ઝેરી ખોરાકની અસરનો ભોગ બની ગયા છે ત્યારે આ મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago