સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCL વિભાગ દ્વારા બાકી વીજબિલની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા કુલ 245 ટીમો બનાવીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉઘરાણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન જે ગ્રાહકોએ લાંબા સમયથી બિલ ભરપાઈ કર્યા નથી તેમની સામે લાલ આંખ કરવામાં આવી છે. તપાસ દરમિયાન 188 જેટલા વીજ ધારકોએ બિલ ભરવાનો ઈનકાર કરતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તેમના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ 188 ગ્રાહકો પાસેથી અંદાજે 22.15 લાખ રૂપિયાની વસૂલાત બાકી હતી.
બીજી તરફ, PGVCLની આક્રમક કામગીરીને પગલે મોટી સફળતા પણ મળી છે. 245 ટીમો દ્વારા હાથ ધરાયેલા અભિયાનમાં 3,870 ગ્રાહકો પાસેથી કુલ 1.10 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ લોસનું પ્રમાણ ઊંચું હોવાથી તેને ઘટાડવા માટે તંત્ર દ્વારા આ આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે, તેથી પીજીવીસીએલ વિભાગ દ્વારા તમામ ગ્રાહકોને વહેલી તકે પોતાના બાકી વીજબિલ ભરી દેવા માટે અપીલ કરવામાં આવી છે.
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…