સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં કરા સાથે વરસાદ વરસતા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
જોકે, આ કુદરતી આફત ખેડૂતો માટે મુસીબત લઈને આવી છે. મોટા કાંધાસર ગામે વરિયાળીના ઊભા પાક પર કરા પડવાને કારણે પાક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેનાથી જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે.
આ કરાના વરસાદ દરમિયાન પશુઓમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. વરસાદ અને તેજ પવનને કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. માવઠાની સાથે કરા પડતા ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કરાનો વરસાદ જોઈ લોકોમાં નવાઈ હતી, તો બીજી તરફ પાયમાલ થયેલા પાકને જોઈ ખેડૂતોની આંખોમાં આંસુ હતા.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…