સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં કરા સાથે વરસાદ વરસતા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
જોકે, આ કુદરતી આફત ખેડૂતો માટે મુસીબત લઈને આવી છે. મોટા કાંધાસર ગામે વરિયાળીના ઊભા પાક પર કરા પડવાને કારણે પાક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેનાથી જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે.
આ કરાના વરસાદ દરમિયાન પશુઓમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. વરસાદ અને તેજ પવનને કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. માવઠાની સાથે કરા પડતા ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કરાનો વરસાદ જોઈ લોકોમાં નવાઈ હતી, તો બીજી તરફ પાયમાલ થયેલા પાકને જોઈ ખેડૂતોની આંખોમાં આંસુ હતા.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…