સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે. ચોટીલા તાલુકાના મોટા કાંધાસર ગામમાં કરા સાથે વરસાદ વરસતા સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
જોકે, આ કુદરતી આફત ખેડૂતો માટે મુસીબત લઈને આવી છે. મોટા કાંધાસર ગામે વરિયાળીના ઊભા પાક પર કરા પડવાને કારણે પાક સંપૂર્ણપણે તૂટી ગયો છે, જેનાથી જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે.
આ કરાના વરસાદ દરમિયાન પશુઓમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. વરસાદ અને તેજ પવનને કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. માવઠાની સાથે કરા પડતા ખેડૂતોને વ્યાપક આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ કરાનો વરસાદ જોઈ લોકોમાં નવાઈ હતી, તો બીજી તરફ પાયમાલ થયેલા પાકને જોઈ ખેડૂતોની આંખોમાં આંસુ હતા.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…