Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની બે કંપનીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનુ ચેકીંગ

jeet 10 October 2025
Untitled design_20251010_162424_0000

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની બે કંપનીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનુ ચેકીંગ

ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમા 10 તેલના નમુનાઓ લેવાયા

Join Our WhatsApp Group

દિવાળી ટાણેજ કેમ લોકોના આરોગ્ય ની ચિંતા તંત્રનેથાયછે બાકીના મહીનાઓમા શુ કરેછે ?

સુરેન્દ્રનગર: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોના જનઆરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો તેમજ ડિસ્કો તેલ વેચાતું હોવાનું ધ્યાને આવતા તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું.

સુરેન્દ્રનગર કલેક્ટરના આદેશથી, ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાની આગેવાની હેઠળની ટીમે ખાદ્યતેલનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પર તપાસ કરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં વેચાતા ખાદ્યતેલની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાનો છે.

તપાસ દરમિયાન, વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બે કંપનીઓ— ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ — ખાતે સ્થળ પરની તપાસ કરવામાં આવી હતી. ટીમે આ બંને કંપનીઓમાંથી આશરે દસ જેટલા ખાદ્યતેલના નમૂના લીધા હતા

ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાએ જણાવ્યું હતું કે, “અમારી ટીમે આજે ઓઇલ ટીનીંગ કરતી બે કંપનીઓ પર તપાસ કરી છે. ખાદ્ય તેલના દસેક જેટલા નમૂના લઈને અમે લેબોરેટરીમાં મોકલાવી રહ્યા છીએ. લેબોરેટરીના રિપોર્ટના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

આ આકસ્મિક ચેકિંગ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે કે ગ્રાહકોને આરોગ્યપ્રદ અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરી રિપોર્ટમાં જો નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો સંબધિત કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

ત્યોહાર ટાણેજ કેમ ચેકીંગ પછી કેમ ચુપ?

ફુડ એન્ડ ડ્રગ અને પુરવઠા વિભાગને સૌથી મોટાત્યોહાર દિવાળી ટાણેજ કેમ પ્રજાના આરોગ્ય ની ચિંતાઓ જાગેછે બાકીના મહીનામા કેમ કામગીરી ઠપ્પ થઇ જાયછે અને એક કે બે જગ્યાએ જયને નમુનાઓ લયને સંતોષ માની લેવામા આવેછે શુ ત્યોહાર ટાણેજ આ બધુ નિવેધ ધરાવવા માટેનુ તરકટ છે કે શુ એવી પણ લોકોમા ચર્ચાઓ વહેતી થય છે શહેરમા ને જીલ્લામા આવી અનેક ભેળસેળ યુક્ત હાટડીઓ ચાલેછે .

સુરેન્દ્રનગર સહીત સમગ્ર જીલ્લામા ભેળસેળ યુક્ત અને ખાદ્યપદાર્થો હોયકે ફરસાણની દુકાનો ચલાવતા તમામને ત્યા ચેકીંગ કેમ રૂટીન કરાતુ નથી ત્યોહાર ટાણે વેચાતા ફરસાણ વિવિધ મીઠાઇઓ એને બનાવવા વપરાતા માવા તેલ સહીતમા મોટાપાયે ભેળસેળ થતુ હોવાની અનેક ફરીયાદો ઉઠેછે આ તમામ જગ્યાએ કોણ ચેકીંગ કરશે અને ક્યારે ચેકીંગ કરશે ? એ સૌથી મોટો સવાલ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમનો અમદાવાદ ટુર્નામેન્ટમા વિજય થયો 
Next: સુરેન્દ્રનગરના મફતીયાપરામાં પાયાગત સુવિધાના અભાવે લોકોનો આક્રોશ: ‘વિસાવદરવાળી’ કરવાની ચીમકી

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add