Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં PMAY-G યોજના હેઠળ કુલ 20,033 આવાસો મંજૂર, 12,636 આવાસો પૂર્ણ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામીણ ક્રાંતિ, PMAY-G દ્વારા અનેક લાભાર્થીઓના સ્વપ્નોને મળ્યું ‘પાકું સરનામું

સુરેન્દ્રનગર જિલ્લામાં PMAY-G યોજના હેઠળ કુલ ૨૦,૦૩૩ આવાસો મંજૂર, ૧૨,૬૩૬ આવાસો પૂર્ણ

PM-JANMAN યોજના હેઠળ ૨૮૭૪ આવાસો મંજૂર, ૯૩૩ આવાસો પૂર્ણ

સુરેન્દ્રનગર જિલ્લામાં આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૨૦,૦૩૩ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૨,૬૩૬ આવાસો પૂર્ણ થયા છે, જયારે ૭,૩૯૭ આવાસો પ્રગતિ હેઠળ છે. પ્રધાનમંત્રી જનમન અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આદિમજૂથના ૨૮૭૪ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૩૩ આવાસો પૂર્ણ થયા છે.

આ આંકડા માત્ર સંખ્યાઓ નથી, પરંતુ લાભાર્થી પરિવારોના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનની સફળતાની કહાની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આ યોજના અનેક પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. +

કાચા મકાનમાં રહેતા લોકોને પાકું આવાસ મળવાથી બાળકોને અભ્યાસ માટે સુરક્ષિત જગ્યા મળી, વડીલોને આરામની સુવિધા મળી અને મહિલાઓને સ્વચ્છ શૌચાલય અને આરોગ્યનું રક્ષણ મળ્યું છે. મનરેગા હેઠળ મળતી રોજગારીએ તેમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવાળા ગામના અરવિંદભાઈ કઠેસીયાના જીવનમાં આવેલા બદલાવ વિશેની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી પોતાનું પાકું મકાન બનાવવાનું સ્વપ્ન હતું, જે હવે સરકારી સહાયથી સાકાર થયું છે આજે અરવિંદભાઈને જૂના મકાનમાંથી મુક્તિ મળી, અને હવે તેઓ તેમના પરિવાર સાથે આ નવા પાકા ઘરમાં સુખેથી રહે છે.

અરવિંદભાઈના પરિવારમાં કુલ ચાર સભ્યો છે જેમાં એક દીકરી, એક દીકરો અને તેમના પત્ની છે. નવા મકાનના નિર્માણથી સમગ્ર પરિવારમાં ખુશી અને સંતોષની લાગણી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…

2 weeks ago

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…

2 weeks ago

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…

2 weeks ago

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…

2 weeks ago

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…

2 weeks ago