ધ્રાંગધ્રામાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ખીમાભાઇ કણઝરીયાએ આર્થિક તંગીના કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 10% વ્યાજે નાણાં લીધા હતા.
ફરિયાદીએ રણછોડભાઈ ભરવાડ પાસેથી 1.30 લાખ, મેરાભાઈ ભરવાડ પાસેથી 4 લાખ, કલ્પેશભાઈ મેવાડા પાસેથી 3.50 લાખ, રમેશભાઈ ગમારા પાસેથી 1.50 લાખ, નિમુબેન કોળી પાસેથી 3 લાખ અને મહેશભાઈ ચૌહાણ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા.
યુવકે આ તમામ વ્યાજખોરોને મૂડી કરતા પણ વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ શખ્સો અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી કંટાળીને યુવકે પોતાની રિક્ષામાં ઝેરી દવા પી લીધી હતી. હાલ યુવક સારવાર હેઠળ છે અને તેની ફરિયાદના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસે એક મહિલા સહિત 6 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…