ધ્રાંગધ્રામાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ખીમાભાઇ કણઝરીયાએ આર્થિક તંગીના કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 10% વ્યાજે નાણાં લીધા હતા.
ફરિયાદીએ રણછોડભાઈ ભરવાડ પાસેથી 1.30 લાખ, મેરાભાઈ ભરવાડ પાસેથી 4 લાખ, કલ્પેશભાઈ મેવાડા પાસેથી 3.50 લાખ, રમેશભાઈ ગમારા પાસેથી 1.50 લાખ, નિમુબેન કોળી પાસેથી 3 લાખ અને મહેશભાઈ ચૌહાણ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા.
યુવકે આ તમામ વ્યાજખોરોને મૂડી કરતા પણ વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ શખ્સો અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી કંટાળીને યુવકે પોતાની રિક્ષામાં ઝેરી દવા પી લીધી હતી. હાલ યુવક સારવાર હેઠળ છે અને તેની ફરિયાદના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસે એક મહિલા સહિત 6 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…