ધ્રાંગધ્રામાં વ્યાજખોરોના ત્રાસના કારણે એક યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ખીમાભાઇ કણઝરીયાએ આર્થિક તંગીના કારણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી 10% વ્યાજે નાણાં લીધા હતા.
ફરિયાદીએ રણછોડભાઈ ભરવાડ પાસેથી 1.30 લાખ, મેરાભાઈ ભરવાડ પાસેથી 4 લાખ, કલ્પેશભાઈ મેવાડા પાસેથી 3.50 લાખ, રમેશભાઈ ગમારા પાસેથી 1.50 લાખ, નિમુબેન કોળી પાસેથી 3 લાખ અને મહેશભાઈ ચૌહાણ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા.
યુવકે આ તમામ વ્યાજખોરોને મૂડી કરતા પણ વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, આરોપીઓ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ શખ્સો અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી કંટાળીને યુવકે પોતાની રિક્ષામાં ઝેરી દવા પી લીધી હતી. હાલ યુવક સારવાર હેઠળ છે અને તેની ફરિયાદના આધારે ધ્રાંગધ્રા સિટી પોલીસે એક મહિલા સહિત 6 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…