Dhrangadhra | ધ્રાંગધ્રા શહેરમાં ફરી એકવાર બેફામ કાર દોડાવવાની ઘટના સામે આવી છે. ફૂલગલી વિસ્તારમાં એક યુવકે (Car) પૂરઝડપે દોડાવી રહેણાંક વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. સ્થાનિકોએ સમયસર હસ્તક્ષેપ કરીને કાર રોકી પોલીસને જાણ કરી હતી, પરંતુ ચાલક પોલીસ પહોંચે તે પહેલાં જ ફરાર થઈ ગયો હતો.
માહિતી મુજબ, શુક્રવારે મોડી સાંજે (GJ-13-AR-9189) નંબરની કાર લઈને નીકળેલા શખ્સે તુરાજ સિનેમા, (TCP Gate) અને આંબેડકર સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારોમાં જોખમી રીતે કાર દોડાવી હતી. રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ એકત્ર થઈ કારને અટકાવી અને પોલીસ કંટ્રોલ રૂમમાં (Police) જાણ કરી હતી. શહેર પોલીસને અગાઉથી પણ બેફામ કાર ચાલક અંગે ફરિયાદો મળી રહી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ ચાલક કાર મૂકી નાશી છૂટ્યો હતો. પોલીસે કાર કબજે લઈને અજ્ઞાત ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે આરોપી બુટલેગર હોવાની સંભાવના છે અને તે વારંવાર રહેણાંક વિસ્તારમાં બેફામ કાર દોડાવી લોકોમાં ભય ફેલાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ નરશીપરા વિસ્તારથી કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. હાલ ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…