ધ્રાંગધ્રા | સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર આવેલી ખાનગી (Hotel) અને (Guest House)માં જાહેરનામાના ભંગની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. તાજેતરમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં કલ્પના ચોકડી નજીક આવેલી ‘પેલેસ ધી હોટલ’ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ તમામ હોટલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ તેમના ત્યાં આવતા ગ્રાહકોની વિગતો પથિક સોફ્ટવેર (Pathik Software)માં ઓનલાઇન નોંધવી ફરજિયાત છે. આ નિયમ સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. છતાં, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ‘પેલેસ ધી હોટલ’ના સંચાલક બ્રિજરાજસિંહ નવનીતસિંહ ઝાલાએ તા. ૨૨/૧૨/૨૦૨૫થી આજદિન સુધી ગ્રાહકોની એન્ટ્રી સોફ્ટવેરમાં નોંધાવી નથી.
આ બાબત બહાર આવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે હોટલ પરિસરમાં ‘સ્પા’ પણ સંચાલિત થઈ રહ્યું છે અને બંનેનો પ્રવેશદ્વાર એક જ છે, જે સુરક્ષા દ્રષ્ટિએ ચિંતાજનક માનવામાં આવે છે.
ગેસ્ટ હાઉસમાં રોકાતા લોકોની ઓળખ નોંધવામાં ન આવે તો કાયદો-વ્યવસ્થા માટે જોખમ ઊભું થઈ શકે છે. હવે આ મામલે સુરેન્દ્રનગર (SOG Police) દ્વારા આગળ શું કડક પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર છે
લખતર-સુરેન્દ્રનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી એક કાર…
ધ્રાંગધ્રાની વિશાલ ચેમ્બર્સમાં 90 લાખની છેતરપિંડી આચરનાર મહાઠગ ભરત મેવાડાનો વધુ એક કારનામો સામે આવ્યો…
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ઈંગ્લીશ તેમજ દેશી દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આવેલ વિશાલ ચેમ્બર્સમાં દુકાનધારકો સાથે Rs 90 લાખની મોટી છેતરપિંડી આચરનાર મુખ્ય…
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને…
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી પવિત્ર ભોગાવો નદીમાં અવારનવાર પશુઓના અવશેષો અને કંકાલ મળી આવવાની ઘટનાઓ…