ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સતાપર ગામના ઉકાભાઇ જેરામભાઈ ભરમાણી અને તેમના કુટુંબીજનો રિક્ષામાં સવાર થઈ નરાળી ગામે લૌકિક પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર એક બાઈક ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન ચલાવી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
બાઈકની ટક્કર લાગતા રિક્ષા રોડ પર પલટી મારી ગઈ હતી, જેમાં સવાર ઉકાભાઇ સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થયા બાદ ઉકાભાઇએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ફરાર બાઈક સવારની શોધખોળ શરૂ કરી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…