ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સતાપર ગામના ઉકાભાઇ જેરામભાઈ ભરમાણી અને તેમના કુટુંબીજનો રિક્ષામાં સવાર થઈ નરાળી ગામે લૌકિક પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર એક બાઈક ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન ચલાવી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
બાઈકની ટક્કર લાગતા રિક્ષા રોડ પર પલટી મારી ગઈ હતી, જેમાં સવાર ઉકાભાઇ સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થયા બાદ ઉકાભાઇએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ફરાર બાઈક સવારની શોધખોળ શરૂ કરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…