ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સતાપર ગામના ઉકાભાઇ જેરામભાઈ ભરમાણી અને તેમના કુટુંબીજનો રિક્ષામાં સવાર થઈ નરાળી ગામે લૌકિક પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર એક બાઈક ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન ચલાવી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
બાઈકની ટક્કર લાગતા રિક્ષા રોડ પર પલટી મારી ગઈ હતી, જેમાં સવાર ઉકાભાઇ સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી સારવાર મેળવી સ્વસ્થ થયા બાદ ઉકાભાઇએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ફરાર બાઈક સવારની શોધખોળ શરૂ કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…