રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે ભવ્ય ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ અને પાયાની સેવાઓનો લાભ અત્યંત સરળતાથી પહોંચાડવાનો હતો.
એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાવાતા નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ શિબિરમાં આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્ર, નવા ચૂંટણી કાર્ડ તેમજ જન્મ-મરણના દાખલા જેવી મહત્વની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી.
એક જ છત નીચે અનેક સરકારી કામો પૂર્ણ થવાને કારણે અરજદારોના સમય અને શક્તિની મોટી બચત થઈ હતી. આ સાથે જ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા તબીબી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે ધ્રાંગધ્રા મામલતદાર બળદેવભાઈ પટેલ અને ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ સ્થળ પર જ અરજદારોનું માર્ગદર્શન કરી તેમના પ્રશ્નો ઉકેલ્યા હતા, જે રાજ્ય સરકારના સુશાસન તરફનું એક મહત્વનું પગલું ગણાવી શકાય.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…