ધ્રાંગધ્રા શહેરમાંથી પસાર થતી ફલકુ નદીમાં આજે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. એક સમયે અત્યંત પવિત્ર ગણાતી આ નદી હાલ પ્રદૂષણ અને અસામાજિક પ્રવૃત્તિઓનો ભોગ બની રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, કોઈ અસામાજિક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓ લાવીને નદીના પાણીમાં ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને કારણે નદી કિનારાના રહેણાંક વિસ્તારોમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાયું છે. બનાવની જાણ થતા જ નગરપાલિકાની ટીમ દોડી આવી હતી અને નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની સફાઈ કામગીરી શરૂ કરી હતી. જીવદયા પ્રેમીઓ અને નાગરિકોએ આ કૃત્ય કરનારા દોષિતોને તાત્કાલિક શોધી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તેમજ ફલકુ નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…