ધ્રાંગધ્રા શહેરમાંથી પસાર થતી ફલકુ નદીમાં આજે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. એક સમયે અત્યંત પવિત્ર ગણાતી આ નદી હાલ પ્રદૂષણ અને અસામાજિક પ્રવૃત્તિઓનો ભોગ બની રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, કોઈ અસામાજિક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓ લાવીને નદીના પાણીમાં ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને કારણે નદી કિનારાના રહેણાંક વિસ્તારોમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાયું છે. બનાવની જાણ થતા જ નગરપાલિકાની ટીમ દોડી આવી હતી અને નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની સફાઈ કામગીરી શરૂ કરી હતી. જીવદયા પ્રેમીઓ અને નાગરિકોએ આ કૃત્ય કરનારા દોષિતોને તાત્કાલિક શોધી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તેમજ ફલકુ નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…